Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી વાર જામશે વન-ડે ક્રિકેટનો જંગ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી વાર જામશે વન-ડે ક્રિકેટનો જંગ

Published : 12 February, 2025 07:49 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમ આ મેદાન પર વીસમાંથી ૧૧ મૅચ જીતી છે, ૨૦૧૧ બાદ પહેલી વાર અંગ્રેજો સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાનો ચાન્સ છે ટીમ ઇન્ડિયા પાસે

જોસ બટલર, રોહિત શર્મા

જોસ બટલર, રોહિત શર્મા


વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝની અંતિમ મૅચ રમાશે. ૨-૦થી સિરીઝમાં અજેય લીડ મેળવનાર ભારતીય ટીમ આજે ક્લીન સ્વીપ કરવાની ઇચ્છા સાથે મેદાન પર ઊતરશે. ભારત અને ઇંગ્લૅન્ડ એકબીજા સામે છેલ્લી છ વન-ડે સિરીઝથી ક્લીન સ્વીપ કરી શક્યા નથી. છેલ્લે ઑક્ટોબર ૨૦૧૧માં ભારતીય ટીમે પોતાની ધરતી પર ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની સિરીઝમાં ૫-૦થી સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી.


અમદાવાદના આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ પહેલી વાર વન-ડે ફૉર્મેટની મૅચમાં ટકરાશે. ભારતીય ટીમે આ મેદાન પર ૨૦માંથી ૧૧ વન-ડે મૅચ જીતી છે, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમે ચારમાંથી માત્ર એક વન-ડે મૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન જીતી હતી.



ભારત અને ઇંગ્લૅન્ડ આ મેદાન પર સામસામે પાંચ T20 મૅચ રમ્યા છે, જેમાં ભારત ત્રણ અને ઇંગ્લૅન્ડ બે મૅચ જીત્યું છે, જ્યારે આ મેદાન આ બન્ને ટીમ વચ્ચેની ચાર ટેસ્ટ-મૅચનું સાક્ષી પણ રહ્યું છે જેમાં અંગ્રેજ ટીમ ક્યારેય જીતી નથી શકી. ત્રણ ટેસ્ટ-મૅચ ભારતે જીતી હતી અને એક મૅચ ડ્રૉ રહી છે. માર્ચ ૨૦૨૧ બાદ પહેલી વાર બન્ને ટીમ વચ્ચે આ મેદાન પર ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2025 07:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK