હવે બૅટ્સમૅન ફીલ્ડિંગમાં અવરોધ બનશે તો અમ્પાયર કહેશે, યુ આર આઉટ
ઇંગ્લૅન્ડ સામેની ભારતની સિરીઝથી લાગુ પડશે નવા નિયમો
એક્સ્ટ્રા ટાઇમનો નવો રૂલ પણ આવ્યો : ભારતની પ્રથમ વન-ડે ૧૪ ઑક્ટોબરે
કયા નવા નિયમો ભારતની સિરીઝમાં લાગુ થશે?
ADVERTISEMENT
- હવેથી વન-ડેની દરેક ઇનિંગ્સમાં એકને બદલે બે બૉલ વાપરવામાં આવશે.
- જો બૅટ્સમૅન રન દોડતી વખતે ફીલ્ડિંગમાં જાણીજોઈને અવરોધ બનતો દેખાશે તો અમ્પાયર ફીલ્ડિંગ કરી રહેલી ટીમની ફરિયાદને આધારે થર્ડ અમ્પાયર સાથેની મસલત પછી એ બૅટ્સમૅનને પોતાને રનઆઉટ થતો બચાવવાના આરોપસર આઉટ જાહેર કરવામાં આવશે.
- પાવરપ્લેની રાબેતા મુજબ કુલ ૨૦ ઓવરો રહેશે, જેમાંની પ્રથમ ૧૦ ઓવર ઇનિંગ્સની શરૂઆતમાં જ રાખવાની રહેશે, પરંતુ બાકીની પાંચ-પાંચ ઓવરના બાકીના બે પાવરપ્લે ૧૬થી ૪૦ ઓવર સુધીમાં લઈ લેવા પડશે કે જેથી મિડલની ઓવરો વધુ રોમાંચક બની જાય.
- ઈજાગ્રસ્ત કે બીમાર બૅટ્સમૅનને રનર રાખવાની છૂટ નહીં મળે.
- જે પ્લેયર જેટલા સમય માટે ઈજાના કે બીજા કોઈ અનિવાર્ય કારણસર ફીલ્ડિંગથી દૂર રહ્યો હોય એટલો સમય તે બૅટિંગ કે બોલિંગમાં નહીં આવી શકે.
- જો કોઈ મૅચમાં લંચ કે ટી-ઇન્ટરવલમાં મૅચનું રિઝલ્ટ આવવાનું નક્કી લાગે તો અમ્પાયર જે તે ઇન્ટરવલનો પહેલી ૧૫ મિનિટનો ટાઇમ એક્સ્ટ્રા ટાઇમ તરીકે રાખીને એમાં પ્લેયરોને રમવાનું કહીને બાકીની મૅચ પૂરી કરવાનું કહી શકશે.