Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે દીકરાઓએ પિતાના હાથ બાંધીને નહેરમાં ફેંકી દીધા

બે દીકરાઓએ પિતાના હાથ બાંધીને નહેરમાં ફેંકી દીધા

Published : 17 August, 2025 08:13 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંચાવન વર્ષના ગિરનીકુમાર ચક્રવર્તી નામના પુરુષનું શબ પોલીસને એક નાળામાંથી મળી આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના જબલપુરમાં બે દીકરાઓએ તેમના પિતા સાથે જે કર્યું એ હૃદયદ્રાવક છે. પંચાવન વર્ષના ગિરનીકુમાર ચક્રવર્તી નામના પુરુષનું શબ પોલીસને એક નાળામાંથી મળી આવ્યું હતું. આ શબના હાથ બાંધી દીધેલા હોવાથી એ નક્કી હત્યા હોવાનો કેસ નોંધીને તેની ઓળખ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આસપાસનાં ગામોમાં તપાસ કરતાં ખબર પડી હતી કે જે નાળામાંથી આ પુરુષ મળ્યા હતા એના ૧૦ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં ગિરનીકુમાર ચક્રવર્તી રહે છે. ગામમાં જઈને પોલીસે પૂછપરછ કરી તો ગામલોકોએ કહ્યું કે આમને તો તેમના બે દીકરાઓ હાથ બાંધીને ક્યાંક લઈ જઈ રહ્યા હતા. સંબંધીઓએ તેમને પૂછ્યું તો દીકરાઓએ કહેલું કે તેમની દારૂ પીવાની આદત છોડાવવા માટે સિદ્ધ બાબાને ત્યાં લઈ જઈ રહ્યા છીએ. મામલો સ્પષ્ટ થઈ જતાં પોલીસે મૃત વ્યક્તિના દીકરાઓની અટક કરી હતી. શરૂઆતમાં વાત નકારી રહેલા દીકરાઓએ આખરે કબૂલી લીધું હતું કે દારૂના નશામાં આએદિન તોફાન મચાવતા પિતાથી છુટકારો મેળવવા તેમણે જ પિતાને જીવતેજીવ નહેરમાં ફેંકી દીધેલા.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2025 08:13 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK