Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગામ આખું બળી ગયેલું, પણ ઇન્દોરના મૂછવાળા કૃષ્ણના મંદિરને કશું નહોતું થયું

ગામ આખું બળી ગયેલું, પણ ઇન્દોરના મૂછવાળા કૃષ્ણના મંદિરને કશું નહોતું થયું

Published : 15 August, 2025 09:12 AM | Modified : 16 August, 2025 07:34 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખું ગામ બળી ગયું, પણ આ મંદિર લાકડાનું હોવા છતાં બચી ગયેલું. ત્યારથી આ મંદિરનું મહાત્મ્ય વધી ગયું હતું.

મૂછોવાળા કૃષ્ણનું મંદિર

અજબગજબ

મૂછોવાળા કૃષ્ણનું મંદિર


મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં ગિરોતા નામે એક ટચૂકડું ગામ છે. આ ગામ અનોખા શ્રીકૃષ્ણ માટે જાણીતું છે. જન્માષ્ટમીના દિવસે અહીં દૂર-દૂરથી ખાસ કૃષ્ણનાં દર્શન માટે લોકો આવે છે. એનું કારણ એ છે કે અહીંના કૃષ્ણને મૂછો છે. કેમ અહીંની કૃષ્ણની મૂર્તિને મૂછો છે એનો જવાબ કોઈની પાસે નથી. આ મંદિર અતિ પ્રાચીન એટલે કે લગભગ ૩૦૦ વર્ષ જૂનું છે. ક્યુટ કાળી ભરાવદાર મૂછોને કારણે અહીં ભગવાનજીને મૂછોવાળા કૃષ્ણ પણ કહેવાય છે. જન્માષ્ટમીમાં ગામમાં કૃષ્ણમેળો ભરાય છે. નવાઈની વાત એ છે કે આ મૂર્તિ પ્રાચીન પદ્ધતિથી બનેલા લાકડાના મંદિરમાં પહેલા માળે બિરાજમાન છે. ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો પણ આ મંદિરની નીચેથી જ નીકળે છે જ્યાંથી આખું ગામ મંદિરની નીચેથી પસાર થઈ શકે છે. પહેલાં મંદિરની નીચે લોકો ફાટક લગાવીને એને તાળું લગાવતા હતા જેથી જંગલી જાનવરો ગામમાં ઘૂસી ન શકે. જ્યારે વરસાદ ન આવે ત્યારે ગામલોકો હરે કૃષ્ણ હરે રામનું કીર્તન કરે છે. 

આ ગામ એટલે પણ બહુ મહત્ત્વનું છે કેમ કે એક વાર અનહોની દરમ્યાન આખા ગામમાં આગ લાગી હતી. આખું ગામ બળી ગયું, પણ આ મંદિર લાકડાનું હોવા છતાં બચી ગયેલું. ત્યારથી આ મંદિરનું મહાત્મ્ય વધી ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2025 07:34 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK