Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાપ કરડ્યા પછી ૧ વર્ષ કોમામાં રહ્યા, ૭ ઑપરેશન પછી મોતના મોંમાંથી બહાર આવ્યા આ ભાઈ

સાપ કરડ્યા પછી ૧ વર્ષ કોમામાં રહ્યા, ૭ ઑપરેશન પછી મોતના મોંમાંથી બહાર આવ્યા આ ભાઈ

Published : 13 August, 2026 03:43 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના કમલકાંત મિશ્રાને ૨૦૨૦માં કરૈત સાપે ડંખ માર્યો હતો. ગંભીર સ્થિતિ બાદ તેઓ લગભગ એક વર્ષ કોમામાં રહ્યા અને ૭ ઑપરેશન બાદ હવે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

સાપ કરડ્યા પછી ૧ વર્ષ કોમામાં રહ્યા, ૭ ઑપરેશન પછી મોતના મોંમાંથી બહાર આવ્યા આ ભાઈ

સાપ કરડ્યા પછી ૧ વર્ષ કોમામાં રહ્યા, ૭ ઑપરેશન પછી મોતના મોંમાંથી બહાર આવ્યા આ ભાઈ


બિહારના શિવહરમાં ખૂબ ઝેરી ગણાતો કરૈત સાપ કમલકાંત નામના ખેડૂતને કરડ્યો હતો. ૨૦૨૦ની આ ઘટના હતી. સાપ કરડ્યા પછી બેથી અઢી કલાકમાં જ તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ અને તેઓ બેભાન થઈ ગયા. પ્રાથમિક ઉપચાર શરૂ કર્યો એટલામાં જ તેમના શ્વાસ થંભી ગયા. ડૉક્ટરોએ એક તબક્કે મૃત ઘોષિત કરી દીધા હતા એમ છતાં ઍન્ટિ-વેનમ ઇન્જેક્શન આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો. ઇન્જેક્શન આપીને કમલકાંતની પત્ની તેમને મોટી હૉસ્પિટલ લઈ ગઈ‍, જ્યાં ડૉક્ટરોએ તેમને કોમામાં સરી પડ્યા હોવાનું જણાવ્યું. લગભગ ૧ આખું વર્ષ તેઓ કોમામાં હતા. એ પછી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે રીહૅબિલિટેશન માટેની સારવાર શરૂ થઈ. તેમના પર ૭ ઑપરેશન થયાં અને હવે તેઓ સ્વસ્થ છે. કમલકાંત મિશ્રાની પત્નીના વિશ્વાસે તેમને ફરી જીવન આપ્યું છે એવું ડૉક્ટરોનું કહેવું છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 03:43 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK