૧ મેએ સ્કૂલ દ્વારા બાળકોના વાલીઓને આ પ્રતિબંધની જાણ કરવામાં આવી હતી
લાઇફમસાલા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જયપુરના મહારાજા સવાઈ માનસિંહ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ હવે પોતાના લંચ-બૉક્સમાં ઈંડાં કે નૉન-વેજ ફૂડ નહીં લઈ જઈ શકે. ૧ મેએ સ્કૂલ દ્વારા બાળકોના વાલીઓને આ પ્રતિબંધની જાણ કરવામાં આવી હતી. જોકે આ નિયમ ઘણા લોકોને ગમ્યો નથી અને તેઓમાંના એક છે દરબ ફારુકી જેઓ ‘દેઢ ઇશ્કિયા’ ફિલ્મના લેખક છે.
ફારુકીએ કહ્યું કે ‘હું જયપુરમાં ઊછર્યો છું. મારા અમુક મિત્રો આ સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પહેલાં તો આવો કોઈ નિયમ નહોતો. શું સ્કૂલમાં એવી કોઈ પૉલિસી હોઈ શકે જેમાં વિદ્યાર્થીઓ ઈંડાં પણ ન લઈ જઈ શકે?’ ફારુકીના આ સવાલ પર એક વ્યક્તિએ કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલ પોતાની ઇચ્છા મુજબ કોઈ પણ નિયમ લાગુ કરી શકે છે. તો અન્ય એકે આ પૉલિસીને ભેદભાવભરી ગણાવી હતી.