ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 30 એપ્રિલે કૉન્ગ્રેસને નિષ્ફળ નેતૃત્વ કર્યાનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "કૉન્ગ્રેસનું નેતૃત્વ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને તમે જોતા જ હશો કે તેમના લોકો સતત મેદાન છોડી રહ્યા છે. કેટલીક જગ્યાએ તેમના પ્રદેશ પ્રમુખ રાજીનામું આપી રહ્યા છે અને કેટલીક જગ્યાએ તેમના જાહેર કરાયેલા ઉમેદવારો પોતે જ તેમની ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. કેટલાક સ્થળોએ તો તેઓ જાણી જોઈને અધૂરા નામાંકન પત્રો ભરી રહ્યા છે, આ દેશના લોકો કૉન્ગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની વાસ્તવિકતા જાણે છે અને આ દેશના લોકો તેમની યોજનાઓને ક્યારેય પૂર્ણ થવા દેશે નહીં."