આઝાદ સમાજ પાર્ટી દ્વારા અમુક ઉમેદવારો સામે પોતાના પક્ષનો કોઈને પણ ઊભો ન રાખવાનો નિર્ણય લીધો છે.
UP Election
ફાઇલ તસવીર
\આઝાદ સમાજ પાર્ટીને રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગોરખપુરમાંથી ચૂંટણી લડશે. આમ તે વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે સીધી લડાઈમાં ઊતરશે. ૧૮ જાન્યુઆરીએ ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે તેઓ વર્તમાન શાસક પક્ષ અને આરએસએસ સાથે લડાઈમાં અન્ય પક્ષ સાથે વાતચીત માટે તૈયાર છે. ૧૬ જાન્યુઆરીએ બીજેપીએ ઘોષણા કરી હતી કે યોગી આદિત્યનાથ ગોરખપુર અર્બન સીટ પરથી ચૂંટણી લડશે.
યુપીની ચૂંટણી સાત તબક્કામાં થશે. ત્રીજી માર્ચના ગોરખપુરમાં મતદાન થશે. દરમ્યાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ બેઠક પરથી પોતાનો ઉમેદવાર પાછા ખેંચવાના મામલે કહ્યું હતું કે ઉમેદવાર સાથે વાતચીત કર્યા બાદ આ મામલે યોગ્ય નિર્ણય લેવાશે. દરમ્યાન આઝાદ સમાજ પાર્ટી દ્વારા અમુક ઉમેદવારો સામે પોતાના પક્ષનો કોઈને પણ ઊભો ન રાખવાનો નિર્ણય લીધો છે.