Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યોગી આદિત્યનાથનો હુંકાર: બ્રહ્મોસની તાકાત પાકિસ્તાનને પૂછો, આતંકવાદ શ્વાનની પૂંછડી જેવો છે

યોગી આદિત્યનાથનો હુંકાર: બ્રહ્મોસની તાકાત પાકિસ્તાનને પૂછો, આતંકવાદ શ્વાનની પૂંછડી જેવો છે

Published : 12 May, 2025 01:37 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે આતંકવાદ સામે લડી રહ્યા છીએ. આતંકવાદનો જવાબ તેની જ ભાષામાં આપવો જોઈએ.

બ્રહ્મોસ મિસાઇલ

બ્રહ્મોસ મિસાઇલ


ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન માટે બ્રહ્મોસ ઍરોસ્પેસ ઇન્ટિગ્રેશન ઍન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક નિવેદન આપ્યું હતું જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. મુખ્ય પ્રધાન યોગીએ આતંકવાદ વિરુદ્ધ ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેના, વડા પ્રધાન મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને અભિનંદન આપ્યાં અને સેનાની બહાદુરીને સલામ કરી હતી.


આ દરમ્યાન મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું હતું કે ‘આપણે પાકિસ્તાનના લોકોને પૂછવું જોઈએ કે બ્રહ્મોસની શક્તિ શું છે, જ્યાં સુધી આપણે આતંકવાદને સંપૂર્ણપણે કચડી નાખીએ નહીં ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે. ઑપરેશન સિંદૂરમાં બ્રહ્મોસની શક્તિ બધાએ જોઈ છે. આતંકવાદ શ્વાનની પૂંછડી જેવો છે, જે ક્યારેય સીધો નહીં થાય. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે આતંકવાદ સામે લડી રહ્યા છીએ. આતંકવાદનો જવાબ તેની જ ભાષામાં આપવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 01:37 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK