Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવા સંસદભવનની લૉબીમાં કેમ થયું પાણીનું ગળતર?

નવા સંસદભવનની લૉબીમાં કેમ થયું પાણીનું ગળતર?

Published : 02 August, 2024 07:48 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગ્રીન બિલ્ડિંગ હોવાથી એમાં પૂરતો પ્રકાશ આવે એ માટે લૉબીની ઉપર કાચના ગુંબજ લગાવવામાં આવ્યા છે.

સાંસદ

સાંસદ


બુધવારે રાતે દિલ્હીમાં પડેલા જોરદાર વરસાદને લીધે નવા સંસદભવનની છતમાંથી પાણીનું ગળતર થયું હતું એટલું જ નહીં, સંસદભવનની બહારના પ્રાંગણમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. આ બાબતે જોરદાર રાજકારણ થયા બાદ ગઈ કાલે સંસદભવનના સચિવાલયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ ગ્રીન બિલ્ડિંગ હોવાથી એમાં પૂરતો પ્રકાશ આવે એ માટે લૉબીની ઉપર કાચના ગુંબજ લગાવવામાં આવ્યા છે. આ ગુંબજ લગાવતી વખતે લગાડેલું કેમિકલ ધોવાઈ જતાં ત્યાંથી પાણીનું ગળતર થયું હતું. જોકે એની જાણ થતાં તરત સમારકામ કરી દેવાયું છે અને ત્યાર બાદ ત્યાંથી પાણીનું ગળતર બંધ થઈ ગયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2024 07:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK