Uttarkashi Helicopter Crash: પાંચ મહિલાઓના મોત થયા છે. બે માણસો- એક પાઇલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા.
અકસ્માતની તસવીરો (સૌજન્ય - પીટીઆઈ)
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી દર્દનાક સમાચાર મળી રહ્યા છે. અહીં આજે વહેલી સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થઈ જવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કુલ પાંચ યાત્રાળુઑના મોત થયા છે જ્યારે અન્ય ૩ યાત્રાળુઑને ગંભીર ઇજાઓ થઈ છે.
આ જે હેલકોપ્ટર હતું તેમાં પ્રવાસીઓ હતા. દેહરાદૂનના સહસ્ત્રધારા હેલિપેડથી તેણે ઉડાન ભરી હતી અને તે ખરસાલી ખાતે ઉતરવાનું હતું. આમાં બેઠેલા મુસાફરોને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતું. પણ, તે પહેલાં જ હેલિકોપ્ટર ક્રેશ થઈ જવાને કારણે મોટી દુર્ઘટના બની છે. મળતા અહેવાલો અનુસાર હેલિકોપ્ટરમાં મુંબઈ અને આંધ્રપ્રદેશના મુસાફરો હતા. આમાંથી ચાર મુંબઈના અને બે આંધ્રપ્રદેશના હતા. આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરોટ્રાન્સ સર્વિસનું હતું.
ADVERTISEMENT
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ઉત્તરકાશીના ગંગનાની પાસે થયો હતો. હેલિકોપ્ટર ગંગનાની પાસેના નાગ મંદિર આગળ જ ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશની માહિતી મળતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ QRT, 108 એમ્બ્યુલન્સ વાહન, તહસીલદાર ભટવાડી, BDO ભટવાડી વગેરે ઘટનાસ્થળે રઆવી ગયા હતા.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી સવારે 8:40 વાગ્યે મળી હતી. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત મુસાફરો હતા. પોલીસ અધિક્ષક સરિતા દોબલે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાં જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી કરવાં આવી હતી. જેમાં પાંચ મહિલાઓના મોત થયા છે. બે માણસો- એક પાઇલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા.
उत्तरकाशी के गंगनानी के समीप हेलीकॉप्टर क्रैश में कुछ लोगों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। राहत एवं बचाव कार्य के लिए SDRF और जिला प्रशासन की टीमें तत्काल घटनास्थल पर पहुंच गई हैं।
— Pushkar Singh Dhami (@pushkardhami) May 8, 2025
ईश्वर हादसे में दिवंगत हुए लोगों की आत्मा को श्रीचरणों में स्थान एवं…
અકસ્માતની નોંધ લેતાં રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ માટે સૂચનાઓ આપી છે. તેઓએ એક્સ પર લખ્યું છે કે- "ઉત્તરકાશીના ગંગનાની નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓને ભગવાન શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે, હું સતત અધિકારીઓના સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે."
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી સવારે 8:40 વાગ્યે મળી હતી. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત મુસાફરો હતા. પોલીસ અધિક્ષક સરિતા ડોબલે જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતાં જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
હજી બચાવ કામગીરી ચાલુ છે. ત્યારબાદ જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલો વિશે કંઈક કહી શકાશે. આ સંદર્ભે વધુ માહિતી હવે પછી આવી શકે છે.

