Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Uttarkashi Helicopter Crash: ઉત્તરકાશીમાં યાત્રાળુઓના હેલિકોપ્ટરનો અકસ્માત! પાંચનાં મોત, અન્ય ઘાયલ

Uttarkashi Helicopter Crash: ઉત્તરકાશીમાં યાત્રાળુઓના હેલિકોપ્ટરનો અકસ્માત! પાંચનાં મોત, અન્ય ઘાયલ

Published : 08 May, 2025 11:38 AM | Modified : 09 May, 2025 07:01 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Uttarkashi Helicopter Crash: પાંચ મહિલાઓના મોત થયા છે. બે માણસો- એક પાઇલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા.

અકસ્માતની તસવીરો (સૌજન્ય - પીટીઆઈ)

અકસ્માતની તસવીરો (સૌજન્ય - પીટીઆઈ)


ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી દર્દનાક સમાચાર મળી રહ્યા છે. અહીં આજે વહેલી સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થઈ જવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કુલ પાંચ યાત્રાળુઑના મોત થયા છે જ્યારે અન્ય ૩ યાત્રાળુઑને ગંભીર ઇજાઓ થઈ છે. 


આ જે હેલકોપ્ટર હતું તેમાં પ્રવાસીઓ હતા. દેહરાદૂનના સહસ્ત્રધારા હેલિપેડથી તેણે ઉડાન ભરી હતી અને તે ખરસાલી ખાતે ઉતરવાનું હતું. આમાં બેઠેલા મુસાફરોને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતું. પણ, તે પહેલાં જ હેલિકોપ્ટર ક્રેશ થઈ જવાને કારણે મોટી દુર્ઘટના બની છે. મળતા અહેવાલો અનુસાર હેલિકોપ્ટરમાં મુંબઈ અને આંધ્રપ્રદેશના મુસાફરો હતા. આમાંથી ચાર મુંબઈના અને બે આંધ્રપ્રદેશના હતા. આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરોટ્રાન્સ સર્વિસનું હતું.



કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ઉત્તરકાશીના ગંગનાની પાસે થયો હતો. હેલિકોપ્ટર ગંગનાની પાસેના નાગ મંદિર આગળ જ ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશની માહિતી મળતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ QRT, 108 એમ્બ્યુલન્સ વાહન, તહસીલદાર ભટવાડી, BDO ભટવાડી વગેરે ઘટનાસ્થળે રઆવી ગયા હતા.


જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી સવારે 8:40 વાગ્યે મળી હતી. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત મુસાફરો હતા. પોલીસ અધિક્ષક સરિતા દોબલે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાં જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી કરવાં આવી હતી. જેમાં પાંચ મહિલાઓના મોત થયા છે. બે માણસો- એક પાઇલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા.


અકસ્માતની નોંધ લેતાં રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ માટે સૂચનાઓ આપી છે. તેઓએ એક્સ પર લખ્યું છે કે- "ઉત્તરકાશીના ગંગનાની નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓને ભગવાન શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે, હું સતત અધિકારીઓના સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે."

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી સવારે 8:40 વાગ્યે મળી હતી. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત મુસાફરો હતા. પોલીસ અધિક્ષક સરિતા ડોબલે જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતાં જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

હજી બચાવ કામગીરી ચાલુ છે. ત્યારબાદ જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલો વિશે કંઈક કહી શકાશે. આ સંદર્ભે વધુ માહિતી હવે પછી આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2025 07:01 AM IST | Uttarakhand | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK