ઍક્સિડન્ટનો ભોગ બનેલાઓને છૂટથી વળતર આપો : સુપ્રીમ ર્કોટ
સુપ્રીમ ર્કોટે જબલપુર રોડ-અકસ્માતમાં પગ ગુમાવનાર ૨૪ વર્ષના ટ્રકડ્રાઇવર ગોવિંદ યાદવના કેસમાં કહ્યું હતું કે ‘હવે તેણે આ અસમર્થતા સાથે આખું જીવન જીવવું પડશે. તેનાં મૅરેજની સંભાવના પણ નહીંવત્ છે. તે ઓછામાં ઓછાં ૫૦ વર્ષ જીવશે, પરંતુ સામાન્ય માનવીની માફક જીવનને માણી નહીં શકે.’
વિલ બદલતી વખતે સહી જરૂરી
સુપ્રીમ ર્કોટે ગઈ કાલે એવો ચુકાદો આપ્યો હતો કે ‘વ્યક્તિએ વિલમાં કરેલા ફેરફારો મૂળ દસ્તાવેજની જેમ ન કરવામાં આવ્યા હોય તો એની કોઈ કાનૂની પવિત્રતા નથી રહેતી. એ જરૂરી છે કે વિલમાં સુધારો કરવામાં આવ્યો હોય તો વિલ કરનાર કે તેમના કહેવાથી કોઈકે સહી કરવી જોઈએ.’