Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મણિપુરમાં હિંસા આચરનારાઓ સામે થશે કાર્યવાહી : ​અમિત શાહ

મણિપુરમાં હિંસા આચરનારાઓ સામે થશે કાર્યવાહી : ​અમિત શાહ

16 May, 2023 12:06 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યમાં છેલ્લા બે દિવસથી લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરવા માટે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ મૈતેઇ અને કુકી સમાજના પ્રતિનિધિઓ સાથે અમિત શાહને મળ્યા હતા.

અમિત શાહ

અમિત શાહ


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિપુરમાં હિંચા આચરનારાઓ સામે આકરાં પગલાં લેવાની સૂચના આપી હતી તેમ જ રાજ્યમાં શાંતિ સ્થાપવા જરૂરી તમામ પગલાં લેવા માટે રાજ્ય સરકારને તમામ સહાય કરવાની ખાતરી આપી હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરવા માટે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ મૈતેઇ અને કુકી સમાજના પ્રતિનિધિઓ સાથે અમિત શાહને મળ્યા હતા. મૈતેઇ સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના વિરોધમાં ત્રીજી મેએ ૧૦ જિલ્લાઓમાં એક એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતાં, જેમાં ૭૩ લોકો માર્યા ગયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2023 12:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK