વેસ્ટ બેન્ગૉલનાં મુખ્ય પ્રધાને બીજેપી, ડાબેરીઓ અને કૉન્ગ્રેસની આકરી ઝાટકણી કાઢી
મુખ્ય પ્રધાન મમતા બૅનરજી
કલકત્તા : સંદેશખાલી હિંસાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતાં વેસ્ટ બેન્ગૉલનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘બીજેપી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેઓ અમને ધમકાવવા ઈડી અને સીબીઆઇનો ઉપયોગ કરી રહ્યા છે. જો ઇલેક્શન કમિશન બીજેપીના આદેશ પર કામ કરી રહ્યું છે તો ધ્યાન રાખે કે અમને લડવાનો અને પોતાનાં મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે. રામ વામ શ્યામ (બીજેપી લેફ્ટ કૉન્ગ્રેસ)એ હાથ મિલાવ્યો છે. તેમણે ઘણા સમય પહેલાં હાથ મિલાવ્યો હતો. મમતા બૅનરજીએ વધુમાં જણાવ્યું કે ‘બીજેપી દરેક જગ્યાએ અરાજકતા ઊભી કરી રહ્યો છે. એક સમુદાયને બીજા વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. પંજાબ, હરિયાણા અને દિલ્હી જુઓ, તેઓ ખિલ્લી ઠોકી રહ્યા છે કે જેથી ખેડૂતો ત્યાં સુધી પહોંચી ન શકે. મને આપણા તમામ ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ છે. યાદ રાખો, બીજેપી વિરોધી છે; બંગાળી, મહિલા વિરોધી, ખેડૂત વિરોધી અને દલિત વિરોધી.