રાહુલ ગાંધીનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એમાં પાકિસ્તાની સેનાના ગોળીબારથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને અન્ય વિસ્તારોમાં ભારે નુકસાન અને જાનહાનિ થઈ છે જેના માટે રાહુલ ગાંધીએ રાહત અને પુનર્વસન પૅકેજ આપવાની માગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે...
- મેં હાલમાં જ પૂંછનો પ્રવાસ કર્યો, જ્યાં પાકિસ્તાનના ગોળીબારમાં ૪ બાળકો સહિત ૧૪ લોકોનાં દુઃખદ મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ અચાનક અને અંધાધૂંધ હુમલાએ સામાન્ય લોકોમાં હડકંપ મચાવ્યો છે. મોટી સંખ્યામાં ઘર, દુકાનો, સ્કૂલ અને ધાર્મિક સ્થળ નષ્ટ થઈ ગયાં છે.
- પૂંછ અને બૉર્ડરથી જોડાયેલા અન્ય વિસ્તારોના લોકો દાયકાઓથી શાંતિ અને ભાઈચારા સાથે વસવાટ કરી રહ્યા છે. આજે જ્યારે તેઓ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે તો આપણું કર્તવ્ય છે કે આપણે તેમના દુઃખને સમજીએ અને તેમના જીવનને ફરીથી સામાન્ય કરવા માટે તમામ સંભવ સહાય ઉપલબ્ધ કરીએ.
- હું ભારત સરકારને આગ્રહ કરું છું કે પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત પૂંછ અને તમામ વિસ્તારો માટે એક મજબૂત અને ઉદારતાભર્યું રાહત અને પુનર્વસન પૅકેજ તૈયાર કરવામાં આવે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ પૂંછ જિલ્લાની લીધી હતી મુલાકાત
રાહુલ ગાંધીએ ગત દિવસોમાં જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારના પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમણે પીડિત પરિવારોના દુઃખને મોટી ત્રાસદી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હું આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીશ.


