Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડાપ્રધાન મોદીએ લાલુ પ્રસાદ યાદવના ખબર અંતર પૂછવા કર્યો ફોન

વડાપ્રધાન મોદીએ લાલુ પ્રસાદ યાદવના ખબર અંતર પૂછવા કર્યો ફોન

06 December, 2022 06:39 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)નું સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી


RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)નું સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સિંગાપોરમાં તેમનું સફળ ઓપરેશન થયું હતું. લાલુ યાદવની બીજી પુત્રી રોહિણી આચાર્યની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. તેને લઈને અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ લાલુ પ્રસાદ યાદવની ખબર પૂછી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે ​​મંગળવારે લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેજસ્વી પાસેથી લાલુ પ્રસાદના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

અગાઉ પણ પીએમએ તેજસ્વીને ફોન કર્યો હતો



જૂન મહિનાની શરૂઆતમાં જ્યારે લાલુ પ્રસાદ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેજસ્વી યાદવને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન લાલુ યાદવ લપસીને પટનાના રાબડી નિવાસસ્થાને સીડી પરથી નીચે પડી ગયા હતા, જેના કારણે તેમની કમર અને ખભામાં ઊંડી ઈજા થઈ હતી. તે જ સમયે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે ફોન કરીને આરજેડી સુપ્રીમોના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. લાલુ યાદવની તબિયત અંગે સીએમ નીતિશે કહ્યું કે બધુ બરાબર છે. તેણે કહ્યું કે ખુશીની વાત છે, બધુ બરાબર ચાલ્યુ, અત્યારે બધુ બરાબર છે.


આ પણ વાંચો:સિંગાપુરમાં લાલુ યાદવને પુત્રીએ કિડની કરી ડોનેટ, ટ્રાંસપ્લાન્ટ સફળ

રોહિણી આચાર્યના જોરદાર વખાણ થઈ રહ્યા છે


તે જ સમયે પિતા લાલુ યાદવને કિડની આપ્યા બાદ લોકો રોહિણી આચાર્યના જોરદાર વખાણ કરી રહ્યા છે. પાર્ટી અને વિપક્ષના નેતાઓ રોહિણીના પિતા પ્રત્યેના પ્રેમ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બાદ બીજેપી નેતા અને ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ પણ રોહિણીના વખાણ કર્યા છે.

આ પણ વાંચો:હવે થશે જોવા જેવી...! શિંદે ફડણવીસની નિષ્ફળતાઓ સામે મુંબઈમાં મોરચો

ગિરિરાજ સિંહે કહ્યું-  દીકરી હોય તો રોહિણી આચાર્ય જેવી

નિશિકાંત દુબેએ કહ્યું, "ભગવાને મને દીકરી નથી આપી, આજે રોહિણી આચાર્યને જોઈને મને ખરેખર ભગવાન સાથે લડવાનું મન થાય છે, મારી દાદી હંમેશા કહેતી હતી, બેટા સે ભલી બેટી જો કુલવંતી હો." આ પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રોહિણીના વખાણ કરતા લખ્યું હતું કે, "જો તમારી પાસે દીકરી હોય તો રોહિણી આચાર્ય જેવી. તમારા પર ગર્વ છે. તમે આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ બનશો."

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 06:39 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK