સાહિલે તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી. `મેઘ અપડેટ્સ` દ્વારા એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાહિલ ખાને તાજેતરના બનેલી આ ભયાનક ઘટનાની ઉજવણી કરી હતી, જ્યારે સમગ્ર દેશ તેના પર શોક વ્યક્ત કરી રહ્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા હોવાની ઘટનાથી દેશભરના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. જોકે આ જિહાદી ઘટનાથી કેટલાક લોકોને આનંદ થતો જોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં કેટલાક યુવાનોએ આ હુમલાનું સમર્થન કરી બીજા લોકોને તમારો પણ હાલ એવો જ થશે એવી ધમકી આપી છે. આ યુવાનોએ હવે બરાબર પાઠ ભણાવવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના દહેરાદૂનમાં શનિવારે સ્થાનિક લોકોના એક જૂથ દ્વારા સાહિલ ખાન તરીકે ઓળખાતા એક મુસ્લિમ યુવકની અર્ધ નગ્ન હાલતમાં પરેડ કરાવવામાં આવી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો. કારણ સાહિલે તાજેતરના પહલગામ આતંકવાદી હુમલા અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી. `મેઘ અપડેટ્સ` દ્વારા એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાહિલ ખાને તાજેતરના બનેલી આ ભયાનક ઘટનાની ઉજવણી કરી હતી, જ્યારે સમગ્ર દેશ તેના પર શોક વ્યક્ત કરી રહ્યો હતો.
ADVERTISEMENT
"સાહિલ ખાને પહલગામ આતંકવાદી હુમલાની ઉજવણી કરી," પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે તેણે સ્થાનિક દેવી મંદિર તોડી પાડવાની વાત કરી હતી. "અમે ફક્ત 28 લોકોને માર્યા છે અને તમે ધ્રૂજી રહ્યા છો, અમે ધરમપુર માતા મંદિરનો નાશ કરીશું," સાહિલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ વાયરલ થઈ હતી, જે બાદ લોકોએ તેને પાઠ ભણાવ્યો હતો. આરોપી સાહિલના ઉશ્કેરણીજનક કૃત્યોથી દેહરાદૂન સ્થાનિક લોકો ગુસ્સે થયા હતા. તેઓએ તેને પકડી લીધો, માર માર્યો અને તેના ઉપરના કપડાં ફાડી નાખ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોના ટોળાંએ તેનો અંડરશર્ટ ફાડી નાખ્યો અને તેને શેરીઓમાં અર્ધ નગ્ન હાલતમાં પરેડ કરાવ્યો હતો.
View this post on Instagram
ખાન, જેના પર પહલગામ આતંકવાદી હુમલાની ઉજવણી કરવાનો અને ખાસ કરીને હિન્દુ પુરુષોને નિશાન બનાવતા ધરમપુર મંદિર સામે ધમકીઓ આપવાનો આરોપ છે, તેને સ્થાનિક રહેવાસીઓ તરફથી સખત પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો. આ લોકોએ તેની પરેડ કાઢીને પછી તેને પોલીસને સોંપવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ખાનને માર મારવામાં આવ્યો હતો અને પરેડ કરાવવામાં આવી હતી તેના વીડિયો ઓનલાઈન સામે આવ્યા છે.
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખાનને પીઠ અને હાથ પર સ્પષ્ટ ઈજાઓ જોવા મળે છે. ફૂટેજ પર પ્રતિક્રિયા આપતા, ઈન્ટરનેટ પર ખાનની ટિપ્પણીની સખત નિંદા કરવામાં આવી. કેટલાક વપરાશકર્તાઓએ પહલગામ હુમલાની ઉજવણી પર સ્થાનિક લોકોના પ્રતિભાવને વાજબી ઠેરવ્યો અને લખ્યું, "સારું. આ સમગ્ર દેશમાં થવું જોઈએ", એવી કમેન્ટ્સ કરી રહ્યા છે. પહલગામમાં બનેલી ઘટનાને લઈએ રોજ રોજ નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ જેહાદ કરનાર આતંકવાદીઓ સામે કડક પગલાં લઈ રહી છે આ સાથે પાકિસ્તાન સામે પણ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે.

