Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન સિંદૂર પર સંરક્ષણ મંત્રાલય દ્વારા નિબંધસ્પર્ધા

ઑપરેશન સિંદૂર પર સંરક્ષણ મંત્રાલય દ્વારા નિબંધસ્પર્ધા

Published : 02 June, 2025 07:16 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ વિજેતાઓને મળશે ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ, સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં હાજર રહેવા માટે વિશિષ્ટ આમંત્રણ પણ મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે પહેલી જૂનથી ૩૦ જૂન સુધીના સમયગાળા દરમ્યાન ઑપરેશન સિંદૂર થીમ પર નિબંધસ્પર્ધાની જાહેરાત કરી છે. ટોચના ત્રણ વિજેતાઓને ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે અને લાલ કિલ્લા ખાતે ૭૮મા સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટેનું વિશિષ્ટ આમંત્રણ મળશે.

આ નિબંધસ્પર્ધામાં પ્રતિ વ્યક્તિ એક એન્ટ્રી હિન્દી અથવા અંગ્રેજીમાં સ્વીકારવામાં આવશે. સહભાગીઓ https://mygov.in પર તેમની એન્ટ્રી ૩૦ જૂન સુધીમાં સબમિટ કરી શકે છે.



બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ ગુમાવેલા જીવનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ૯ આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવવા માટે ઑપરેશન સિંદૂર ૭ મેની રાત્રે શરૂ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આતંકવાદનો સામનો કરવા માટે નવા માપદંડો સ્થાપિત કર્યા છે, જેમાં ઑપરેશન સિંદૂર ભારતના આતંકવાદવિરોધી અભિગમમાં પરિવર્તન દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2025 07:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK