Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘મન કી બાત’એ લોકો સાથે કઈ રીતે જોડાવું જોઈએ એ શીખવાડ્યું : આમિર ખાન

‘મન કી બાત’એ લોકો સાથે કઈ રીતે જોડાવું જોઈએ એ શીખવાડ્યું : આમિર ખાન

27 April, 2023 12:38 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમના ૧૦૦ એપિસોડ પૂરા થવાના અવસરે દિલ્હીમાં આયોજિત કરાઈ નૅશનલ કૉન્ક્લેવ

દિલ્હીમાં આયોજિત નૅશનલ કૉન્ક્લેવમાં આમિર ખાન અને રવીના ટંડન.

દિલ્હીમાં આયોજિત નૅશનલ કૉન્ક્લેવમાં આમિર ખાન અને રવીના ટંડન.


ગઈ કાલે રાજધાની દિલ્હીમાં વડા પ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૦૦ એપિસોડ પૂર્ણ થવાના અવસર પર એક નૅશનલ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા અભિનેતા આમિર ખાને કહ્યું હતું કે ‘મન કી બાત’ સંદેશા વ્યવહારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેના થકી વડા પ્રધાન નાગરિકો સાથે જોડાય છે. મહત્ત્વના મુદ્દાઓ પર વડા પ્રધાન પોતાના વિચારો રજૂ કરે છે. વળી લોકોને જણાવે  છે કે એમને શું જોઈએ છે. એના માટે એમને ક્યા પ્રકારના સપોર્ટની જરૂર છે. ‘મન કી બાત’એ લોકો સાથે કઈ રીતે જોડાવું જોઈએ એ શીખવાડ્યું.’ આ કૉન્ક્લેવમાં રવીના ટંડને કહ્યું હતું કે ‘ફિલ્મ ઉદ્યોગે ટીવી અને ઓટીટી માધ્યમમાંથી શીખવું જોઈએ, જેઓ મહિલાઓને સારું વળતર આપે છે તેમ જ મહિલા પ્રધાન શો બનાવે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2023 12:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK