Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મન કી બાતમાં નરેન્દ્ર મોદીની દેશવાસીઓને હાકલ : ગણેશોત્સવમાં PoPના નહીં, માટીના બાપ્પા પધરાવો

મન કી બાતમાં નરેન્દ્ર મોદીની દેશવાસીઓને હાકલ : ગણેશોત્સવમાં PoPના નહીં, માટીના બાપ્પા પધરાવો

Published : 29 June, 2026 07:09 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ `મન કી બાત`ના ૧૩૫મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ `મન કી બાત`ના ૧૩૫મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બર મહિનામાં આવી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ અત્યારથી જ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા ખાસ અપીલ કરી છે. તેમણે લોકોને પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP) માંથી બનેલી મૂર્તિઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવા અને સ્થાનિક કુંભારો દ્વારા આપણા દેશની પવિત્ર માટીમાંથી જ બનાવેલી ગણેશ પ્રતિમાઓ ખરીદવાની વિનંતી કરી છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે `તમારા ઘર, સોસાયટી કે મંડળમાં સ્થાપિત થનારી બાપ્પાની મૂર્તિ આપણા સ્થાનિક કારીગરોના હાથે બનેલી હોવી જોઈએ. ખરીદતાં પહેલાં એ કયા દેશમાં અને કઈ સામગ્રીથી બની છે એની ચોક્કસ ચકાસણી કરો. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે `વોકલ ફૉર લોકલ`ના સંકલ્પને સાચી મજબૂતી મળે છે. માટીની મૂર્તિઓ પાણીમાં કુદરતી રીતે ઓગળી જાય છે, જેથી નદી-તળાવો અને પર્યાવરણ સુરક્ષિત રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 07:09 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK