Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોવિડ વખતે પ્રખ્યાત થયેલા ઇન્દોરના યમરાજનો અકાળ અંત

કોવિડ વખતે પ્રખ્યાત થયેલા ઇન્દોરના યમરાજનો અકાળ અંત

Published : 27 October, 2024 10:06 AM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાયને નવડાવતી વખતે વીજળીનો કરન્ટ લાગવાથી ક્રાઇમ બ્રાન્ચના હેડ કૉન્સ્ટેબલ જવાહરસિંહ યાદવનું અવસાન

જવાહરસિંહ યાદવ

જવાહરસિંહ યાદવ


૨૦૨૦માં કોવિડ-19 વખતે ઇન્દોરમાં યમરાજ બનીને સુરક્ષાનો સંદેશ આપતા ક્રાઇમ બ્રાન્ચના હેડ કૉન્સ્ટેબલ જવાહરસિંહ યાદવનું શુક્રવારે ગાયને નવડાવતી વખતે વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ થતાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. કરન્ટ લાગવાથી તેની ગાયનું પણ મૃત્યુ થયું હતું. કોવિડ મહામારી વખતે લોકોને ઘરમાં રહેવા અને બહાર ન નીકળવા માટે તે યમરાજનો ડ્રેસ પહેરી પોલીસની જીપના બૉનેટ પર બેસીને નીકળતો હતો. એ સમયથી તેને ખાસી પ્રસિદ્ધિ મળી હતી. તેનો સંદેશ સ્પષ્ટ હતો કે ઘરમાં રહેશો તો બચી જશો, બહાર નીકળશો તો યમરાજનું તેડું આવશે.
શુક્રવારે સવારે તે જૂની ઇન્દોર પોલીસલાઇનમાં આવેલા તેના ઘરે ગાયોના તબેલામાં ગાયને નવડાવી રહ્યો હતો ત્યારે એકાએક કરન્ટ વધી જતાં બેશુદ્ધ થઈને પડી ગયો હતો. ત્યાંથી જતી એક વ્યક્તિએ તેને જોયો હતો અને તાત્કાલિક દવાખાને લઈ ગયો હતો, પણ ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2024 10:06 AM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK