Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઘરમાં ઉઘાડા પગે ચાલવું ન જોઈએ,બૅક્ટેરિયા કે ફંગલ ઇન્ફેક્શન થવાનો ડર

ઘરમાં ઉઘાડા પગે ચાલવું ન જોઈએ,બૅક્ટેરિયા કે ફંગલ ઇન્ફેક્શન થવાનો ડર

Published : 19 August, 2024 01:51 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાથરૂમમાં રહેલા ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

લાઇફમસાલા

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)


આપણને એટલી ખબર છે કે બગીચામાં ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી ફાયદો થાય છે, પણ ઘરમાં ઉઘાડા પગે ચાલવું જોઈએ કે નહીં એવા સવાલના જવાબમાં ડૉક્ટરો ના પાડે છે. ખુલ્લા પગે ચાલવાથી ઇન્જરી થઈ શકે છે. વળી એ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. ડૉક્ટરોનું કહેવું છે કે આપણા ઘરને ભલે આપણે ચોખ્ખું અને સાફ રાખીએ છતાં બૅક્ટેરિયા અને ફંગસ માટે એ મોટું અને મોકળું મેદાન હોય છે અને ઘરમાં એ ચોમેર હોય છે. ખુલ્લા પગે ચાલવાથી જમીન પર રહેલા બૅક્ટેરિયા અને ફંગસથી ઇન્ફેક્શન થઈ શકે છે. ધૂળ, કચરો, પરાગ રજ અને ઘરમાં પાળેલાં જાનવરના વાળ સહિતના પદાર્થ તમારી ઍલર્જીમાં વધારો કરી શકે છે. બાથરૂમમાં રહેલા ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. પગની ચામડી ફાટે છે અને એથી ફંગલ ઇન્ફેક્શનના ચાન્સ વધે છે. ઘરમાં ચંપલ પહેરી રાખવાથી આ પ્રકારના ફંગલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાનું જોખમ ઘણું ઘટી જાય છે. ઍથ્લીટ ફીટ કે પ્લાન્ટર ફેસિટિસ જેવા રોગ થતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2024 01:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK