Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ૫૭ ડૉક્ટરોને કોરોના

દિલ્હીમાં ૫૭ ડૉક્ટરોને કોરોના

10 April, 2021 02:54 PM IST | New Delhi
Agency

ગંગારામ હૉસ્પિટલના ૩૭ અને એઇમ્સના ૨૦ ડૉક્ટરો કોવિડની ઝપટમાં

સુરતમાં રોજ ૯૦૦થી પણ વધુ કેસ નોંધાય છે અને મૃત્યુ પામનારાઓ સંખ્યા પણ વધતી જાય છે.  એ.એફ.પી.

સુરતમાં રોજ ૯૦૦થી પણ વધુ કેસ નોંધાય છે અને મૃત્યુ પામનારાઓ સંખ્યા પણ વધતી જાય છે.  એ.એફ.પી.


નવી દિલ્હી : (પી.ટી.આઇ.) અહીંની એઇમ્સ હૉસ્પિટલના ૨૦ ડૉક્ટરોને તેમ જ તબીબી વિભાગના ૬ વિદ્યાર્થીઓને છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ગઈ કાલે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. એ પહેલાંના એક અહેવાલ મુજબ પાટનગરની જ પ્રાઇવેટ ક્ષેત્રની ગંગારામ હૉસ્પિટલના પણ ૩૭ ડૉક્ટરોને છેલ્લા ૧૦-૧૨ દિવસ દરમ્યાન કોરોનાનો ચેપ લાગ્યો છે. બન્ને હૉસ્પિટલોના મોટા ભાગના ડૉક્ટરોએ કોવિડ-વિરોધી રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં તેમના પૉઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જોકે મોટા ભાગના ડૉક્ટરોને કોરોનાનાં હળવાં લક્ષણો છે.
દિલ્હીની એઇમ્સમાં રેસિડન્ટ ડૉક્ટરો તેમ જ ફેકલ્ટી મેમ્બરો સહિત કુલ ૩૦૦૦ ડૉક્ટરો કાર્યરત છે. પાટનગરમાં કોરોનાની નવી લહેર વધુ ઉગ્ર બની રહી છે. ગઈ કાલે કેજરીવાલ સરકારે તમામ સરકારી તેમ જ પ્રાઇવેટ સ્કૂલો હમણાં બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના નવા ૭૪૩૭ કેસ બન્યા હતા.
દરમ્યાન ભારતમાં કોવિડ-19ની નવી લહેર બાબતમાં ગઈ કાલે સવારે મળેલા અહેવાલ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૧,૦૦૦થી પણ વધુ નવા કેસ બન્યા હતા.

નાઇટ-કરફ્યુ અને એમાં પણ ચાર સવાર
સુરતમાં ગઈ કાલે નાઇટ-કરફ્યુ દરમ્યાન સ્કૂટર પર ચાર સવારી સાથે જઈ રહેલા યુવકને અટકાવીને પૂછપરછ કરી રહેલા પોલીસ-કર્મચારી. સુરતમાં રોજ ૯૦૦થી પણ વધુ કેસ નોંધાય છે અને મૃત્યુ પામનારાઓ સંખ્યા પણ વધતી જાય છે.  એ.એફ.પી.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 02:54 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK