° °

આજનું ઇ-પેપર
Monday, 27 March, 2023


નરેન્દ્ર મોદીને ખતમ કરો, દેશ બચી જશે : રાજસ્થાનના કૉન્ગ્રેસી નેતાનો બફાટ

14 March, 2023 11:09 AM IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રંધાવાએ કહ્યું કે ‘અમારી લડાઈ અદાણી સાથે નથી, બીજેપી સાથે છે.

સુખજિન્દર સિંહ રંધાવા

સુખજિન્દર સિંહ રંધાવા

જયપુર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં કૉન્ગ્રેસના રાજસ્થાનના ઇન્ચાર્જ સુખજિન્દર સિંહ રંધાવાએ ગઈ કાલે પુલવામાની ઘટના પર પ્રશ્નો કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું કે ‘જો મોદી ખતમ થઈ જશે તો દેશ બચી જશે અને જો મોદી ટકશે તો દેશ બરબાદ થઈ જશે. મોદી દેશભક્તિની વાતો કરે છે. તેઓ જાણે પણ છે કે દેશભક્તિ શું છે?’

રંધાવાએ કહ્યું કે ‘અમારી લડાઈ અદાણી સાથે નથી, બીજેપી સાથે છે. બીજેપીને ખતમ કરો, અદાણી-અંબાણી આપોઆપ ખતમ થઈ જશે. જ્યારે કૉન્ગ્રેસ આવશે ત્યારે અદાણી-અંબાણી નહીં આવે, બન્નેએ જેલમાં જવું પડશે. અમારા અનેક નેતાઓએ તેમને સાથે નથી લીધા, એનું ધ્યાન રાખવું પડશે.’

અમે અમારા તમામ નેતાઓને તેમની લડાઈ બંધ કરીને મોદી-બીજેપીનો અંત લાવવા વિશે વાત કરવાનું કહ્યું છે એમ કહીને તેમણે પુલવામાની ઘટના વિશે પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે ‘મોદી કહે છે કે ઘર મેં ઘૂસકર મારેંગે. સૌપ્રથમ એ કહો કે પુલવામાની ઘટના કઈ રીતે થઈ, શું એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહોતી કરાઈ?

સ્વતંત્રતા ચળવળ વખતે જેલમાં ગયેલા તમામ કૉન્ગ્રેસીઓ હતા. કૉન્ગ્રેસ પરિવારની પાંચ પેઢી દેશ માટે જેલમાં ગઈ છે. આંદામાનની સેલ્યુલર જેલમાં પ્રત્યેક કૉન્ગ્રેસીનું લોહી રેડાયું છે. કૉન્ગ્રેસે દેશને આઝાદી અપાવી અને તમારા જેવા અપ્રામાણિક વ્યક્તિના હાથમાં દેશ સોંપ્યો.

14 March, 2023 11:09 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધીએ બદલ્યો પોતાના ટ્વિટર અકાઉન્ટનો બાયો, જાણો કારણ અને શું કર્યા ફેરફાર

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાના ટ્વિટર અકાઉન્ટનો બાયો અપડેટ કર્યો છે. તેમણે પોતાને કૉંગ્રેસ સભ્ય ગણાવવાની સાથે `અયોગ્ય સાંસદ` પણ લખી દીધું છે.

26 March, 2023 06:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯૯મા એપિસોડમાં કરી આ મુદ્દાઓ પર ચર્ચા

આ વર્ષે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમનો આ ત્રીજો એપિસોડ છે. કાર્યક્રમના 99મા એપિસોડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને નર્વસ નાઈન્ટીઝનો ઉલ્લેખ કર્યો હતો

26 March, 2023 01:12 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધી અયોગ્યતા મામલે, આજે દેશમાં દિવસ દરમિયાન કૉંગ્રેસનો `સત્યાગ્રહ`

પાર્ટી પ્રમાણે, રાહુલ ગાંધી પ્રત્યે એકતા બતાવીને આ `સંકલ્પ સત્યાગ્રહ` બધા રાજ્યો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે થઈ રહ્યો છે. આ સવારે 10 વાગ્યે શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

26 March, 2023 12:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK