Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તિરુપતિ મંદિરમાં ૧૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાનો દાવો

તિરુપતિ મંદિરમાં ૧૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાનો દાવો

Published : 22 September, 2025 09:05 AM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જગન મોહન રેડ્ડીના નેતૃત્વની સરકાર હતી ત્યારે દાનપેટીમાંથી આ ચોરી થઈ હોવાનો આરોપ

તિરુપતિ મંદિરમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ હતી એના દાવાના સમર્થનમાં એક CCTV ફુટેજ શૅર કર્યું હતું.

તિરુપતિ મંદિરમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ હતી એના દાવાના સમર્થનમાં એક CCTV ફુટેજ શૅર કર્યું હતું.


આંધ્ર પ્રદેશના ઇન્ફર્મેશન અને ટેક્નૉલૉજી પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના નેતા નારા લોકેશે આરોપ લગાવ્યા છે કે ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન થયેલાં પાપોની સમગ્ર તસવીર બહુ જલદીથી લોકોની સામે આવશે. તેમણે તિરુપતિ મંદિરમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ હતી એના દાવાના સમર્થનમાં એક CCTV ફુટેજ શૅર કર્યું હતું.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના સદસ્ય અને BJPના નેતા ભાનુ પ્રકાશ રેડ્ડીએ પણ આ ચોરીના દાવાને સમર્થન આપીને આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૯થી ૨૦૨૪માં TTDના ઇતિહાસની સૌથી મોટી લૂંટ થઈ હતી.



નારા લોકેશે કહ્યું હતું કે ભગવાનના મંદિરમાંથી પણ પૈસા સેરવી લેવાયા હતા અને એ ચોરેલા પૈસા રિયલ એસ્ટેટમાં રોકવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2025 09:05 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK