Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેહરાદૂનમાં ઐતિહાસિક ઝંડાજી મેળાનો પ્રારંભ, ૧૫ દિવસ ચાલશે ઉત્સવ

દેહરાદૂનમાં ઐતિહાસિક ઝંડાજી મેળાનો પ્રારંભ, ૧૫ દિવસ ચાલશે ઉત્સવ

Published : 09 March, 2026 02:23 PM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝંડા પર ત્રણ પ્રકારના ગલેફ ચડાવવામાં આવે છે. રેશમી અને સૌથી ઉપરના ગલેફ ચડાવવાનો લહાવો લેવા ભક્તો વર્ષો સુધી નામ નોંધાવીને રાહ જોતા હોય છે.

દેહરાદૂનમાં ઐતિહાસિક ઝંડાજી મેળાનો પ્રારંભ, ૧૫ દિવસ ચાલશે ઉત્સવ

દેહરાદૂનમાં ઐતિહાસિક ઝંડાજી મેળાનો પ્રારંભ, ૧૫ દિવસ ચાલશે ઉત્સવ


ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં હોળીના પાંચમા દિવસે એટલે કે ચૈત્ર સુદ પાંચમે શ્રી ગુરુ રામ રાય દરબાર સાહિબમાં ઝંડા મેળો યોજાય છે. આ મેળો ૧૬૭૬ના વર્ષથી ચાલી આવતી પરંપરા છે. ગુરુ રામ રાયજીના જન્મદિવસ નિમિત્તે દેહરાદૂનના શ્રી દરબાર સાહિબમાં ૯૪ ફુટ ઊંચા નવા ધ્વજ દંડનું સ્થાપન કરવામાં આવે છે. આ મેળો સિખ સંગત અને પંજાબથી આવેલા શ્રદ્ધાળુઓ માટે ખૂબ પવિત્ર મનાય છે. આ ધ્વજદંડના આરોહણ માટે મહિનાઓથી તૈયારીઓ થાય છે. ધ્વજ પર ચડાવવાનો ગલેફ સીવવાનું કામ પણ મહિનાઓ પહેલાં શરૂ કરવામાં આવે છે. આ હાથસિલાઈથી થતું હોવાથી ડઝનબંધ સેવાદારો એમાં ભાગ લે છે. ઝંડા પર ત્રણ પ્રકારના ગલેફ ચડાવવામાં આવે છે. રેશમી અને સૌથી ઉપરના ગલેફ ચડાવવાનો લહાવો લેવા ભક્તો વર્ષો સુધી નામ નોંધાવીને રાહ જોતા હોય છે. ધ્વજારોહણ સમારોહને ઝંડાજી મહોત્સવ પણ કહેવાય છે અને આ મહોત્સવ પછી ૧૫ દિવસ સુધી મેળો ચાલે છે જેમાં સિખોની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના અનેક કાર્યક્રમો હાથ ધરાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 02:23 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK