વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીની પ્રચારધુરા સંભાળી રહ્યા છે એમ જણાવીને ભલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ કરતાં BJPને પાંચથી સાત ટકા વધારે બેઠકો મળવાની શક્યતા છે
ગઈ કાલે રાજસ્થાનના બાંસવાડામાં BJPના ઉમેદવાર મહેન્દ્રજિત સિંહ માલવિયા માટે પ્રચાર કરવા ગયેલા નરેન્દ્ર મોદી.
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ૩૫૦ જેટલી બેઠકો મળશે અને તામિલનાડુમાં BJPના મિશન સાઉથને સફળતા મળશે અને એને પાંચ જેટલી બેઠકો મળી શકે એમ છે એવી આગાહી અર્થશાસ્ત્રી અને ચૂંટણી વિશ્લેષક સુરજિત ભલ્લાએ કરી છે.
એક ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં સુરજિત ભલ્લાએ કહ્યું હતું કે BJPને આ ચૂંટણીમાં ૩૩૦થી ૩૫૦ જેટલી બેઠકો એકલે હાથે મળશે. તામિલનાડુમાં ૩૯ પૈકી પાંચ બેઠકો પર BJPને જીત મળશે અને કેરલામાં પણ એક કે બે બેઠકો પર જીત મળે એવી શક્યતા છે.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીની પ્રચારધુરા સંભાળી રહ્યા છે એમ જણાવીને ભલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ કરતાં BJPને પાંચથી સાત ટકા વધારે બેઠકો મળવાની શક્યતા છે. આ મોદી-લહેરવાળી ચૂંટણી દેખાશે.
કૉન્ગ્રેસને ૪૪ બેઠકો મળશે જે ૨૦૧૪ના દેખાવ કરતાં બે ટકા ઓછી છે એમ જણાવીને ભલ્લાએ કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધનમાં સમસ્યા નેતૃત્વની છે. અર્થવ્યવસ્થા સૌથી મહત્ત્વની છે અને બીજા નંબરે નેતૃત્વ આવે છે. BJP આ બન્ને ડિપાર્ટમેન્ટમાં સારી છે.