Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બદરીનાથ મંદિરમાં પણ ચડાવાની રકમમાં ચોરી?

બદરીનાથ મંદિરમાં પણ ચડાવાની રકમમાં ચોરી?

Published : 04 July, 2026 10:30 AM | IST | Chamoli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિર સમિતિના અધ્યક્ષના પર્સનલ અસિસ્ટન્ટને અપાઈ નોટિસ

બદરીનાથ મંદિર

બદરીનાથ મંદિર


ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં દાનની રકમમાં ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભૈરવ સેનાએ મૂકેલા આ આરોપોએ સનસનાટી મચાવી દીધા બાદ હવે મંદિર સમિતિના કર્મચારીઓ અને મંદિર સમિતિના પ્રમુખના પર્સનલ અસિસ્ટન્ટ (PA)ને નોટિસ ફટકારવામાં આવી છે. રામ મંદિરમાં દાનચોરીના વિવાદ બાદ બદરીનાથ ધામમાં પણ આવા આરોપો થતાં ભાવિકોની લાગણી દુભાઈ છે.

ભૈરવ સેનાના પ્રમુખ સંદીપ ખત્રીએ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રાગઢને પત્ર લખીને પ્રસાદમાં કથિત ગેરરીતિઓની તપાસની માગણી કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે મંદિર સમિતિના પ્રમુખના PA સહિત મંદિરના પ્રસાદની ચોરીમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પત્ર મળ્યા બાદ મુખ્ય કાર્યકારી અધિકારીએ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીના PA સહિત કેટલાક કર્મચારીઓને નોટિસ ફટકારી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 10:30 AM IST | Chamoli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK