આજનું આપણું આસ્થાનું એડ્રેસ છે વાલપખાડીમાં આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર. આ મંદિર સાથે મેઘવાડ કમ્યુનિટિ અને ઠક્કરબાપાનું નામ જોડયેલું છે. વર્ષ ૧૯૨૩માં અહીં ડોંગરી મ્યુનિસિપલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. આસપાસના લોકોના બાળકો અહીં ભણવા આવતા. ત્યાં ઠક્કરબાપાને વિચાર આવેલો કે લોકોમાં ધાર્મિક ભાવના જન્મે એ માટે મંદિરનું નિર્માણ કરવું. મંદિર સાથે સંકળાયેલા કિશન ડોડીયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી આ મંદિર વિષેની રોચક વાતો તમારા સુધી પહોંચાડવી છે.
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
07 May, 2025 07:05 IST | Mumbai | Dharmik Parmar