Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચર્ચગેટમાં બ્લૅકઆઉટ

ચર્ચગેટમાં બ્લૅકઆઉટ

Published : 06 August, 2025 08:27 AM | Modified : 07 August, 2025 07:00 AM | IST | Mumbai
Rajendra B Aklekar

વેસ્ટર્ન રેલવેની ટ્રિપલ લેયર બૅકઅપ સિસ્ટમ ફેલ નીવડી, ટ્રેનો અટવાઈ, હેડક્વૉર્ટરમાં અડધા કલાક માટે ઇલેક્ટ્રિસિટી ગાયબ

ચર્ચગેટ સ્ટેશન

ચર્ચગેટ સ્ટેશન


વેસ્ટર્ન રેલવેની ટ્રિપલ લેયર બૅકઅપ સિસ્ટમ ગઈ કાલે સવારે ખોટકાઈ હતી. એને કારણે ચર્ચગેટ અને ગ્રાન્ટ રોડ વચ્ચે અડધા કલાક માટે બધી જ ટ્રેનો થોભી ગઈ હતી. બધાં જ સિગ્નલો રેડ થઈ ગયાં હતાં અને પાવર પણ કટ થઈ ગયો હતો. ચર્ચગેટ પર આવેલું હેડક્વૉર્ટર બિલ્ડિંગ પણ અંધકારમય થઈ ગયું હતું.

મંગળવારે સવારે ૧૦.૨૦ વાગ્યે સર્જાયેલી આ ટેક્નિકલ ખામીને કારણે મુસાફરોને હાલાકી થઈ હતી. વેસ્ટર્ન રેલવેમાં ટ્રિપલ લેયર બૅકઅપ સિસ્ટમ છે જેને કારણે આવી રીતના ફેલ્યરના સમયે ઑટોમૅટિક ચેન્જઓવર મેકૅનિઝમ કાર્યરત થાય છે અને ટ્રેનોનું પરિવહન સરળતાથી થાય છે, પરંતુ ગઈ કાલે આ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાતાં ટ્રેનો ખોટકાઈ હતી. ૧૧ વાગ્યાથી ટ્રેનો ધીમે-ધીમે નિયમિત બની હતી એમ વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.



સાઉથ મુંબઈને વીજપુરવઠો પૂરો પાડતી કંપનીઓએ તેમના તરફથી કોઈ ફૉલ્ટ સર્જાયો નથી એમ કહ્યું હતું. સિસ્ટમમાં ખામી સર્જાવાનું કારણ શોધવા માટે તપાસ ચાલુ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2025 07:00 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK