Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ અને થાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો કેટલા અને ક્યારે થશે ભાવ ઓછા

મુંબઈ અને થાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો કેટલા અને ક્યારે થશે ભાવ ઓછા

10 June, 2024 04:40 PM IST | New Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vegetable Rates in Mumbai-Thane: એપીએમસીમાં જે કાંદા 22-25 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા, તે હવે 25-29 રૂપિયા થઇ ગયા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)


નવી મુંબઈના વાશી સ્થિત એપીએમસી માર્કેટમાં (Vegetable Rates in Mumbai-Thane) બટાટા અને ડુંગળી (કાંદા)ના ભાવમાં મોટો વધારો થયો છે. તેમ જ ટામેટાના ભાવમાં પણ વધારો આવ્યો છે. ગયા અઠવાડિયાની સરખામણીએ બટાટા અને કાંદાના ભાવમાં 2 થી 3 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. વેપારીઓએ માહિતી આપી હતી કે હાલમાં બજારમાં શાકભાજીની આવક ઓછી છે અને મોટાભાગની સારી ગુણવત્તાવાળા કાંદાનો સંગ્રહ કરવામાં આવતો હોવાથી ભાવ વધી રહ્યા છે. એપીએમસીમાં જે કાંદા 22-25 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા, તે હવે 25-29 રૂપિયા થઇ ગયા છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે કાંદાનું ઉત્પાદન ઓછું થયું છે. તેમજ, છેલ્લા કેટલાક મહિનાથી વધતા તાપમાનને કારણે કાંદા ખરાબ થઈ ગયા છે. ગરમીના કારણે 10 થી 20 ટકા કાંદા ખરાબ થઈ ગઈ છે, જેના કારણે બજારમાં કાંદાની આવક ઓછી થઈ રહી છે. શુક્રવાર અને શનિવારે બજારમાં માત્ર 68-70 ગાડીઓ આવી છે. આથી કાંદાના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વધારો થયો છે. સાથે જ, બે દિવસમાં પડેલા વરસાદને કારણે ખેતરોમાંથી કાંદા કાઢવામાં અને પાકને ગાડીમાં લોડ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.


મુંબઈ, થાણે સહિત નવી મુંબઈમાં શાકભાજીની (Vegetable Rates in Mumbai-Thane) સપ્લાયમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક અઠવાડિયામાં લગભગ આઠ વખત વટાણાના ભાવમાં વધારો થયો છે. સાથે જ, બીન્સ આઠ ગણી વધુ કિંમતમાં વેચાઈ રહી છે. વેપારીઓના અનુસાર, બીન્સ હોલસેલ માર્કેટમાં 160-170 રૂપિયા, જ્યારે રિટેલ માર્કેટમાં 250 થી 280 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. રિટેલ માર્કેટમાં વટાણા, ગુવાર, શક્કરીયા, તુરીયા પણ 100ને પાર પહોંચ્યા છે. કોથમીરની ઝૂડી પણ 60-70 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ભારે ગરમી અને પાણીની અછતને કારણે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પાણીની અછતને કારણે ખેતરોમાં શાકભાજી સુકાઈ રહી છે. સાથે જ, ઉત્પાદન પણ ઓછું થયું છે. આથી મુંબઈ કૃષિ બજાર સમિતિમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે.



ગયા મંગળવારે એપીએમસીમાં 500 થી વધુ ટન ટ્રક દ્વારા, જ્યારે ટેમ્પો દ્વારા 2,800 ટન શાકભાજી આવી હતી. જેમાં ચાર લાખ પાંદડાવાળી શાકભાજીની ઝૂડી સામેલ છે. એક અઠવાડિયા પહેલા બજાર સમિતિમાં બીન્સ 20 થી 24 રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી. 20 થી 24 રૂપિયામાં વેચાતી શક્કરીયા હવે 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. વટાણા 34 થી 40 રૂપિયાથી વધીને 90-100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. પાંદડાવાળી શાકભાજીના ભાવમાં પણ વધારો (Vegetable Rates in Mumbai-Thane) થવા લાગ્યો છે. બજાર સમિતિમાં સોયા 30 થી 50 રૂપિયા, જ્યારે રિટેલ માર્કેટમાં 50 થી 60 રૂપિયા પ્રતિ ઝૂડી વેચાઈ રહ્યો છે. બજારમાં કોથમીરના બંડલનો ભાવ 15 થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે રિટેલ માર્કેટમાં એક બંડલનો ભાવ 60 રૂપિયા છે. વેપારીઓએ અંદાજ લગાવ્યો છે કે આગામી કેટલાક દિવસ સુધી બજારમાં ભાવમાં વધારો જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 04:40 PM IST | New Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK