મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતનો આરોપ
ઉદય સામંત
મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતની કારના કાફલા પર થોડા સમય પહેલાં યવતમાળમાં પથ્થરમારો થયો હતો. એ વિશે ગઈ કાલે કોઈનું નામ લીધા વિના ઉદય સામંતે કહ્યું હતું કે ‘જે લોકો રાજનીતિમાં મારી પાછળ આવ્યા છે એવા હિતેચ્છુઓએ જ મને મારવાનો પ્રયાસ કર્યો છે. આવું કાવતરું જે લોકો કરી રહ્યા છે તેમને નિયતિ માફ નહીં કરે. અમારા કુટુંબ વિશે મોઢા પર તો સારું બોલવામાં આવે છે, પણ પાછળથી ટીકા કરવામાં આવી રહી છે. પુણેમાં પણ આ લોકોએ મને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હુમલાની આ બન્ને ઘટના પરથી મને ખ્યાલ આવી ગયો છે કે આની પાછળ કોણ છે. જોકે અત્યારે આ વિશે વધુ કંઈ કહેવા નથી માગતો.’