Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના રાયલાદેવી તળાવમાં તરવા ગયેલો યુવાન ડૂબી ગયો

થાણેના રાયલાદેવી તળાવમાં તરવા ગયેલો યુવાન ડૂબી ગયો

Published : 18 July, 2025 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ, ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


થાણેના વાગળે એસ્ટેટ પાસે આવેલા રાયલાદેવી તળાવમાં તરવા માટે ગયેલા યુવાને ડૂબી જવાને લીધે જીવ ગુમાવ્યો હતો. બુધવારે સાંજે આ જ વિસ્તારમાં રહેતો બાવીસ વર્ષનો યુવાન તરવા માટે તળાવમાં ગયો હતો, પરંતુ તેને સારી રીતે તરતાં આવડતું નહોતું. તેને પાણીનો અંદાજ આવ્યો નહોતો અને તે ડૂબી ગયો હતો એમ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું. પોલીસ, ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

પ્રશાસને ચોમાસા દરમ્યાન પ્રાકૃતિક જળાશયોમાં આ રીતે તરવા જવાનું ટાળવાની ચેતવણી આપી છે. વરસાદને કારણે તળાવો, જળાશયો અને ધોધમાં પાણીનું લેવલ ક્યારે વધી જાય એનો ખ્યાલ ન રહેતાં આવા અકસ્માતો બને છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2025 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK