Devotees Beaten at Nashik’s Trimbakeshwar temple: ભક્તોના ચાર ધામનું તીર્થ ચઢાવવાના આગ્રહને કારણે સુરક્ષા કર્મીઓ સાથે તેમનો વિવાદ થયો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - DALL-E)
મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલા ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં (Devotees Beaten at Nashik’s Trimbakeshwar temple) દર્શન માટે આવેલા ભક્તોને સુરક્ષા રક્ષકો દ્વારા ધક્કાબુકી અને મારપીટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હવે આ મામલે નાશિકના જિલ્લા અધિકારી જલજ શર્મા ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે જો સુરક્ષા રક્ષકોએ ભક્તો સામે મારપીટ કરી હશે તો તરત જ તેની સામે કડક પગલાં લઈને કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ નાશિકના મહેન્દ્ર સુર્યવંશી અને તેમના માતા-પિતા ત્ર્યંબકેશ્વર મંદિરમાં દર્શન માટે ગયા હતા. દર્શન કરતી વખતે મંદિરના ગર્ભ ગૃહમાં તહેનાત સુરક્ષા રક્ષકોએ તેમને બહાર જવાની તાકિદ કરી. આ વાતને લઈને મહેન્દ્ર અને ત્યાં રહેલા સુરક્ષા રક્ષકો વચ્ચે બોલાચાલી થતાં વિવાદ (Devotees Beaten at Nashik’s Trimbakeshwar temple) થયો હતો અને તે બાદ આ વિવાદ વધતાં સુરક્ષા રક્ષકોએ સુર્યવંશી સામે ગાળાગાળ કરીને તેમણે માર માર્યો હોવાનો આરોપ પણ સુર્યવંશીએ મંદિરના સુરક્ષા રક્ષકો પર કર્યો છે.
ADVERTISEMENT
આ ઘટના અંગે વધુ માહિતી આપતા જિલ્લા અધિકારી જલજ શર્માએ કહ્યું કે, ગઈકાલે નાશિકના સુર્યવંશી પરિવાર સાથે ત્ર્યંબકેશ્વર મંદિરમાં દર્શન (Devotees Beaten at Nashik’s Trimbakeshwar temple) કરતી વખતે કથિત રીતે થયેલી ધક્કાબુકી અને મારપીટની ઘટના મામલે વધુ અને નિષ્પક્ષ તપાસ કરીને દરેક દોષિત સુરક્ષા કર્મીઓ સામે કદક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તેમ જ ત્ર્યંબકેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે આવેલા દ્દરેક આવતા ભક્તો માટે સમયસર દર્શન મળે આ સાથે તેમને યોગ્ય સુવિધાઓ આપવામાં આવે તે માટે મંદિરર પ્રશાસન દરેક પ્રયત્ન કરી રહ્યું છે.
આ ઘટનાને લઈને મંદિર સમિતિના ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે હાલમાં સતત રજાઓ હોવાને કારણે ત્ર્યંબકેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો (Devotees Beaten at Nashik’s Trimbakeshwar temple) છે જેને લીધે ભીડ પણ જોવા મળી મળી રહી છે. ભીડ વધુ હોવાને કારણે સુરક્ષા રક્ષકોએ ઘટનાથી સંબંધિત ભક્તોને આગળ જવા કહ્યું, પરંતુ આ ભક્તોએ ચાર ધામનું તીર્થ ચઢાવવા માટેનો આગ્રહ કર્યો હતો. આ દરમિયાન એક વૃદ્ધ મહિલાનો પગ ફસાઈ જતાં તેઓ પડી ગયા હતા. ભક્તોના આ આગ્રહને કારણે સુરક્ષા કર્મીઓ સાથે તેમનો વિવાદ થયો. જો કે આ કેસની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ અને તપાસ કર્યા બાદ કાર્યવાહી કરશું, એવી સ્પષ્ટતા મંદિર સમિતિના ટ્રસ્ટી પુરુષોત્તમ કડલગે આપી છે.
ત્યારબાદ, સિંહસ્થ કુંભમેળાના પરિપ્રેક્ષ્યમાં ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ (Devotees Beaten at Nashik’s Trimbakeshwar temple) અને પ્રશાસન સાથે જિલ્લા અધિકારી જલજ શર્માએ આજે બેઠક કરી હતી. આ બેઠકમાં સિંહસ્થ કુંભમેળાના પરિપ્રેક્ષ્યમાં યોગ્ય સૂચનાઓ પ્રશાસન અને ત્ર્યંબકેશ્વર ટ્રસ્ટને આપવામાં આવી હોવાની માહિતી જિલ્લા અધિકારી જલજ શર્માએ આપી.

