Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે મંદિરમાં ચડાવવાનો પ્રસાદ ૐ સર્ટિફિકેટ જોઈને લેવાનો

હવે મંદિરમાં ચડાવવાનો પ્રસાદ ૐ સર્ટિફિકેટ જોઈને લેવાનો

Published : 16 June, 2024 06:59 AM | IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

હિન્દુ સંગઠને પ્રસાદમાં મિલાવટી તત્ત્વોનો ઉપયોગ અટકાવવા માટે નાશિકના યંબકેશ્વરથી આવાં સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી

યંબકેશ્વરમાં ઓમ સર્ટિફિકેટના વિતરણના શુભારંભ વખતે રણજિત સાવરકર, અભિનેતા શરદ પોંક્ષે અને સાધુ-મહંતો.

યંબકેશ્વરમાં ઓમ સર્ટિફિકેટના વિતરણના શુભારંભ વખતે રણજિત સાવરકર, અભિનેતા શરદ પોંક્ષે અને સાધુ-મહંતો.


હિન્દુ મંદિરોમાં ભગવાનને ચડાવવા માટેના પ્રસાદમાં ગાયની ચરબી કે બીજી કોઈ ભેળસેળ કરવામાં નથી આવી એનું ૐ સર્ટિફિકેટ આપવાની શરૂઆત નાશિકમાં આવેલા અને ૧૨ જ્યોતિર્લિંગમાં સામેલ યંબકેશ્વર મંદિરમાં કરવામાં આવી છે. સ્વાતંયવીર વિનાયકે દામોદર સાવરકરના પૌત્ર અને ૐ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રણજિત સાવરકરે શુક્રવારે આવાં ૧૫ ઓમ સર્ટિફિકેટ મીઠાઈ બનાવનારાઓને વિતરિત કર્યાં હતાં. રણજિત સાવરકરે આ વિશે માહિતી આપી હતી કે ‘થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે યંબકેશ્વર મંદિરમાંથી મિલાવટવાળા ઘીના પેંડા જપ્ત કરવામાં આવ્યા. અમરાવતીમાં પણ પેંડા બનાવવા માટે ગાયની ચરબીની મિલાવટ સાથેના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આવા ઘીનાં ૧૦૦ ગ્રામનાં પૅકેટ મંદિરમાં મોકલવામાં આવતાં હતાં. આવી ભેળસેળ રોકવા માટે અમે મંદિરો માટે પ્રસાદ બનાવનારાઓને ઓમ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે. આ અભિયાન આખા દેશમાં ચલાવવામાં આવશે.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 06:59 AM IST | Mumbai | Prakash Bambhroliya

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK