Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રસીદ આપ્યા વગર દાન સ્વીકારે છે?

શું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રસીદ આપ્યા વગર દાન સ્વીકારે છે?

Published : 26 June, 2026 04:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિવસેના સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે શિવસેનાએ રામ મંદિરમાં આપેલા 4 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયાના દાનની કોઈ રસીદ આપવામાં આવી નથી. શિવસેના સાંસદે આ ઘટનાને ગંભીર ગણાવીને સમગ્ર મામલાની તપાસની માગ કરી છે.

સંજય રાઉતના રામ મંદિર વિવાદ પર ગંભીર આરોપો

સંજય રાઉતના રામ મંદિર વિવાદ પર ગંભીર આરોપો


અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાનની કથિત ચોરીની ઘટનાએ હવે રાજકીય ચર્ચા વળાંક લીધું છે. આ મામલે FIR નોંધાયા બાદ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી 4 કિલો ચાંદીની ઈંટ અને મંદિરના નિર્માણ માટે શિવસેના દ્વારા દાનમાં આપવામાં આવેલા રૂ. 1 કરોડના યોગદાન અંગે સ્પષ્ટતા માગી છે. દરમિયાન, સિંધી સમુદાયે પણ 2021માં દાનમાં આપવામાં આવેલી 200 કિલો ચાંદીની ઈંટોનો હિસાબ માગ્યો છે.

સંજય રાઉતે ટ્વિટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો



શિવસેના સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે શિવસેનાએ રામ મંદિરમાં આપેલા 4 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયાના દાનની કોઈ રસીદ આપવામાં આવી નથી. શિવસેના સાંસદે આ ઘટનાને ગંભીર ગણાવીને સમગ્ર મામલાની તપાસની માગ કરી છે. સંજય રાઉતે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેએ હજારો શિવસૈનિકો અને સંતોની હાજરીમાં આ પવિત્ર દાન આપ્યું હતું. તેમણે સમગ્ર મામલામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તપાસ અને જવાબદારીની માગ કરી છે. સંજય રાઉતની જેમ, વિવિધ સંગઠનોના વ્યક્તિઓએ પણ રામ મંદિરને અર્પણ કરાયેલા દાન માટે રસીદો ન મળવાની ફરિયાદ કરી છે.


સિંધી સમાજે 200 કિલો ચાંદીની ઈંટ મુદ્દે ચિંતા વ્યક્ત કરી


વિશ્વ સિંધી સેવા સંગમે પણ 200 કિલો ચાંદીની ઈંટોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજૂ મનવાણીએ જણાવ્યું કે 26 જાન્યુઆરી 2021ના રોજ વિશ્વભરના સિંધી સમાજના સહયોગથી 200 ચાંદીની ઈંટો સોંપવામાં આવી હતી. આ ઈંટો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને સુપરત કરવામાં આવી હતી. દરેક ઈંટ પર ભગવાન ઝૂલેલાલની તસવીર કોતરેલી હતી. આ પ્રસંગે 12 દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

રામ મંદિરના દાન કોરી ચોરી મામલે 8 લોકો સામે FIR

 
રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ પર 8 લોકો સામે FIR નોંધાઈ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર બનેલી વિશેષ તપાસ ટીમ (SIT) સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સરકારે કહ્યું કે તપાસ નિષ્પક્ષ રહેશે અને દોષિતો સામે કડક કાર્યવાહી થશે. જોકે શિવસેના અને સિંધી સમાજે દાન કરેલી ચાંદીની ઈંટો અંગે ઉઠાવેલા સવાલો પર ટ્રસ્ટ તરફથી હજી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી.

ટ્રસ્ટના મૌન પર સવાલ, દાનદાતાઓમાં રોષ

વિવાદ વકરતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. શિવસેના અને સિંધી સમાજ ઉપરાંત અન્ય દાનદાતાઓ પણ ટ્રસ્ટ પાસેથી દાનની રસીદ અને હિસાબ માગી રહ્યા છે. વિપક્ષે આ મુદ્દે ટ્રસ્ટની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવીને સમગ્ર દાન વ્યવહારની જાહેર ઓડિટની માગ કરી છે. હાલ ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન ન આવતા દાનદાતાઓમાં અવિશ્વાસ વધી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK