Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રૅન્ડને ક્યારેય ભૂંસી નહીં શકાય : રાજ ઠાકરે

મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રૅન્ડને ક્યારેય ભૂંસી નહીં શકાય : રાજ ઠાકરે

Published : 25 May, 2025 11:23 AM | Modified : 26 May, 2025 06:55 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ ઠાકરેએ ૨૦ વર્ષ પહેલાં શિવસેનાથી છેડો ફાડીને પોતાનો નોખો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ઊભો કર્યો હતો

રાજ ઠાકરે

રાજ ઠાકરે


પુણેમાં એક ન્યુઝ-પોર્ટલના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રૅન્ડને ભૂંસી નાખવાના ઘણા પ્રયાસ થયા છે, પણ ખાતરી રાખો કે એ બન્ને બ્રૅન્ડને એમ ભૂંસી નહીં શકાય. 

રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘સૌથી પહેલાં મારા દાદા પ્રબોધનકાર ઠાકરેએ મહારાષ્ટ્ર પર પ્રભાવ પાડ્યો હતો. એ પછી બાળાસાહેબ ઠાકરે અને ત્યાર બાદ મારા પિતા શ્રીકાંત ઠાકરેએ સંગીતમાં ડંકો વગાડ્યો હતો. એ પછી મેં અને ઉદ્ધવે છાપ ઊપસાવી. હું કહીશ કે આ બ્રૅન્ડને ભૂંસી નાખવાના ઘણી વાર પ્રયાસ થયા, પણ મહારાષ્ટ્રના રાજકારણમાંથી એને એમ ભૂંસી નહીં શકાય. ટોચના લીડરો બદલાય તો પણ બ્રૅન્ડ ચાલુ જ રહેશે.’



રાજ ઠાકરેએ ૨૦ વર્ષ પહેલાં શિવસેનાથી છેડો ફાડીને પોતાનો નોખો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ઊભો કર્યો હતો. જોકે થોડા વખતથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે યુતિ થઈ શકવાની શક્યતાઓએ જોર પકડ્યું છે ત્યારે રાજ ઠાકરે દ્વારા ઠાકરે બ્રૅન્ડ બદલ કરવામાં આવેલું સ્ટેટમેન્ટ બહુ સૂચક હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.  


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2025 06:55 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK