Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭ દિવસ સુધી ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડમાં પાંચ ટકા પાણીકાપ

૭ દિવસ સુધી ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડમાં પાંચ ટકા પાણીકાપ

Published : 18 April, 2026 11:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠામાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


BMCએ વૉટર ટનલ્સના મેઇન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી મુંબઈગરાઓએ આગામી અઠવાડિયે પાણીકાપનો સામનો કરવો પડશે. ૨૦ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠામાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

BMC દ્વારા ચેમ્બુરથી વડાલા અને પરેલ સુધી વિસ્તરેલી વૉટર ટનલ-નંબર એક તેમ જ વૉટર-ટનલ ચેમ્બુરથી ટ્રૉમ્બે લો-લેવલ અને હાઈ-લેવલ રિઝર્વોયર સુધીની ટનલ-નંબર બે પર ટેક્નિકલ કામગીરી કરવામાં આવશે. આ મેઇન્ટેનન્સમાં ચાર્જિંગ, ફ્લશિંગ અને ડી-ક્લોરિનેશન જેવી પ્રક્રિયાઓ સામેલ છે. એને પગલે કુર્લા, ગોવંડી, ચેમ્બુર, ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડ વિસ્તારોમાં પાણીકાપ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK