Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાણીના નિકાલ માટે ખોલવામાં આવેલી ગટરમાં સિનિયર સિટિઝન પડી ગયા

પાણીના નિકાલ માટે ખોલવામાં આવેલી ગટરમાં સિનિયર સિટિઝન પડી ગયા

Published : 09 July, 2024 03:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીના સાંઈબાબાનગરની આ ઘટના બાદ ઢાંકણું તૂટી ગયેલી ડ્રેનેજલાઇનના મૅનહોલને પણ કવર કરવામાં આવ્યો

ખુલ્લી ગટરમાં પડી ગયેલા સિનિયર સિટિઝન

ખુલ્લી ગટરમાં પડી ગયેલા સિનિયર સિટિઝન


રવિવારે રાતે મુંબઈમાં પડેલા ભારે વરસાદને લીધે બોરીવલી-વેસ્ટમાં સાંઈબાબા નગરમાં ચાચા નેહરુ ઉદ્યાન પાસેના રસ્તા પર કમર સુધીનાં પાણી ભરાઈ ગયાં હતાં. એ પછી પાણીના નિકાલ કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સ્ટાફે ફુટપાથ પરની ગટરનું ઢાંકણું ખોલી નાખ્યું હતું. દરમ્યાન એક ઉત્તર ભારતીય સિનિયર સિટિઝન આજે સવારે અહીંથી નીકળ્યા ત્યારે તેઓ આ ખુલ્લી ગટરમાં પડી જતાં તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓ ઊભા થઈને ચાલી પણ નહોતા શકતા એવી તેમની હાલત થઈ ગઈ હતી એટલે એક યુવાને તેમને હાથ પકડીને ઊભા કર્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોએ સવાલ કર્યા કે ‘મુંબઈગરાઓ ટૅક્સ ભરે છે એના બદલામાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો તેમણે સામનો કરવો પડે છે. BMC કેમ કોઈ કાયમી ઉકેલ નથી શોધતી?’




ડ્રેનેજલાઇનના મૅનહોલને જાળીથી કવર કરવામાં આવ્યો હતો


સાંઈબાબા નગરમાં રસ્તાની વચ્ચેથી પસાર થતી ડ્રેનેજલાઇનના મૅનહોલનું ઢાંકણું તૂટી ગયું છે એટલે વરસાદમાં અહીં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ મૅનહોલની ફરતે લોખંડની જાળી મૂકી દેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK