આવતી કાલથી મુંબઈ મેટ્રો તબક્કાવાર શરૂ
મુંબઈ મેટ્રો
મહારાષ્ટ્ર સરકારે ‘મિશન બીગીન અગેન’ અંતર્ગત આવતી કાલથી વર્સોવા ઘાટકોપર લાઈન-1ને ચાલુ કરવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ફક્ત મેટ્રો સત્તા દ્વારા અધિકૃત જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
BREAKING- Maharashtra govt allows Mumbai Metro Versova-Ghatkopar @MumMetro Line 1 operations to be resumed from October 15 in a graded manner! Formal announcement from Metro team awaited. @mid_day pic.twitter.com/OTo3qKceo8
— Rajendra B. Aklekar (@rajtoday) October 14, 2020
સરકારી અને પ્રાઈવેટ લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. સાપ્તાહિક બજારો પણ શરૂ કરવાની મંજૂરી છે, તેમ જ નવી ગાઈડલાઈન્સ મુજબ બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશન્સની પણ પરવાનગી છે.
ગરદીને ટાળવા માટે આવતી કાલથી દુકાનો બે કલાક વધુ ખુલ્લી રાખી શકાશે. તેમ જ એરપોર્ટ્સમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોવિડ-19 ટેસ્ટ પછી ઈન્ક લગાડવામાં આવશે નહીં. રેલવે સ્ટેશન્સમાં પણ હેલ્થ ચેકઅપ અને સ્ટેમ્પ લગાડવામાં નહીં આવે.