Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પત્નીની હેરાનગતિથી કંટાળીને ભાઈંદરની ખાડીમાં કૂદકો મારીને પતિએ ટૂંકાવ્યું જીવન

પત્નીની હેરાનગતિથી કંટાળીને ભાઈંદરની ખાડીમાં કૂદકો મારીને પતિએ ટૂંકાવ્યું જીવન

15 November, 2022 02:09 PM IST | Mumbai
Samiullah Khan

નવઘર પોલીસે પત્ની અને સાસરિયાંઓ સામે ગુનો દાખલ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ભાઈંદરની ખાડીમાં છલાંગ મારીને આત્મહત્યા કરી લેતાં નવઘર પોલીસે પત્ની અને સાસરિયાંઓ સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મરનાર ૩૮ વર્ષનો અભિજિત કુર્ડેકર ૧૮ સપ્ટેમ્બરે ગુમ થઈ જતાં કંપનીના તેના સહ-કર્મચારીઓએ તેના નાના ભાઈ પંકજને ૨૦ સપ્ટેમ્બરે અભિજિત બે દિવસથી ઑફિસ ન આવતો હોવાની જાણ કરી હતી.



મરનારની પત્ની ૩૦ વર્ષની નિકિતાને અભિજિત વિશે પૂછ્યું હતું અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું, પણ નિકિતાએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરીને પંકજને જણાવ્યું હતું કે મેં વિવિધ સ્થળોએ અભિજિતને જોયો હતો.


૨૯ સપ્ટેમ્બરે પંકજે નવઘર પોલીસ-સ્ટેશન જઈને અભિજિત ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી મિલિંદ દેસાઈએ જણાવ્યું હતું કે ‘અમે તપાસ હાથ ધરીને નિકિતાની પૂછપરછ કરી હતી, પણ તેણે અભિજિત નવી મુંબઈ ગયો હોવાની, તો કેટલીક વાર પાલઘર અને બીજા કોઈ ઠેકાણે ગયો હોવાની ખોટી માહિતી આપીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. આખરે પોલીસે એ વિસ્તારનું સીસીટીવી કૅમેરા ફુટેજ તપાસતાં હકીકત બહાર આવી હતી. નિકિતાએ ૧૭ સપ્ટેમ્બરે અભિજિત પર હુમલો કરીને તેને તેના સામાન સહિત ઘરની બહાર હાંકી કાઢ્યો હતો. પાંચમી નવેમ્બરે પોલીસને વસઈના બીચ પરથી અભિજિતનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ભાઈએ મૃતદેહ ઓળખી કાઢ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2022 02:09 PM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK