અગાઉ ધોરણ ૨, ૩ અને ૪નો અભ્યાસક્રમ બદલ્યા બાદ હવે ધોરણ ૬ માટે પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-’૨૭થી ધોરણ ૬ માટે નવો અભ્યાસક્રમ અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દાદાજી ભુસેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) ૨૦૨૦ને અનુરૂપ આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
અગાઉ ધોરણ ૨, ૩ અને ૪નો અભ્યાસક્રમ બદલ્યા બાદ હવે ધોરણ ૬ માટે પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બાલભારતી પ્રકાશન દ્વારા નવા અભ્યાસક્રમ મુજબનાં પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં વિદ્યાર્થીઓને આ પુસ્તકો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.
નવા અભ્યાસક્રમની સમજ આપવા માટે રાજ્યસ્તરે અને જિલ્લાસ્તરે શિક્ષકો માટે ખાસ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવશે.
આ નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણપદ્ધતિ સાથે જોડવામાં મદદરૂપ થશે.
