Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઈ-ચલાનની સમસ્યાના ઉકેલ માટે પૅનલની રચના પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વાહનોની હડતાળ ટળી

ઈ-ચલાનની સમસ્યાના ઉકેલ માટે પૅનલની રચના પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વાહનોની હડતાળ ટળી

Published : 27 June, 2025 11:04 AM | Modified : 28 June, 2025 09:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે અયોગ્ય કે સખત દંડ ફટકાર્યા વગર ટ્રાન્સપોર્ટર્સને સપોર્ટ કરે એવી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક


રાજ્યના ટ્રાન્સપોર્ટર્સને ઈ-ચલાન સિસ્ટમને કારણે મુશ્કેલી થતી હતી. આ સમસ્યાના સમાધાન માટે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે નવી પૅનલની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ પૅનલમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, પોલીસ અધિકારી અને નિષ્ણાતોની સાથે ટ્રાન્સપોર્ટ અસોસિએશનના પ્રતિનિધિઓ પણ સામેલ રહેશે. પૅનલ પોતાનો રિપોર્ટ એક મહિનામાં સબમિટ કરશે.


ઈ-ચલાન ઉપરાંત સ્પીડ-લિમિટ અને પાર્કિંગના નિયમો બાબતે પણ આ રિપોર્ટમાં સૂચનો આપવામાં આવશે. પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે અયોગ્ય કે સખત દંડ ફટકાર્યા વગર ટ્રાન્સપોર્ટર્સને સપોર્ટ કરે એવી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે.



ઈ-ચલાન, નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા ઉપરાંત ડિપાર્ટમેન્ટલ સમસ્યાઓને કારણે ટ્રાન્સપોર્ટની પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોવાને લીધે પહેલી જુલાઈએ રાજ્યમાં તમામ પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વાહનોની હડતાળ પર ઊતરવાની તૈયારી હતી. ગુરુવારે ઈ-ચલાનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમિતિની રચના કરવાના નિર્ણય બાદ મુંબઈ બસ માલક સંઘટનાના મુરાદ નાઈકે હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK