તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના પણ અનેક મોટા નેતા પાર્ટી છોડી ચૂક્યા છે. આમાં અશોક ચવ્હાણ, બાબા સિદ્દીકી, મિલિંદ દેવરાનું નામ પણ સામેલ છે. ચવ્હાણ ભાજપ, સિદ્દીકી એનસીપી અને દેવડા શિવસેનામાં જોડાયા છે.
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે (ફાઈલ તસવીર)
Lok Sabha Election 2024: તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના પણ અનેક મોટા નેતા પાર્ટી છોડી ચૂક્યા છે. આમાં અશોક ચવ્હાણ, બાબા સિદ્દીકી, મિલિંદ દેવરાનું નામ પણ સામેલ છે. ચવ્હાણ ભાજપ, સિદ્દીકી એનસીપી અને દેવડા શિવસેનામાં જોડાયા છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પાર્ટી છોડનારા નેતાઓ પર નિશાનો સાધ્યો છે. આ દરમિયાન તેમણે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એસપી)ના શરદ પવારને પણ નેતાઓને માફ ન કરવાની સલાહ આપી છે. ખડગેએ કહ્યું કે જ્યારે તમે સત્તામાં આવી જાઓ, તો તે નેતાઓને પોતાના દળમાં પાછા ન લેતા.
ADVERTISEMENT
એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, ખડગેએ કહ્યું, "હાલના સમયમાં અનેક લોકો તમારો સાથ છોડીને ચાલ્યા ગયા છે. જે લોકો ચાલ્યા ગયા, તે ચાલ્યા ગયા. તેમના વિશે ચિંતા ન કરો. પણ હા, જ્યારે તમે સત્તામાં પાછા આવશો ત્યારે તે પાછા આવશે. ત્યારે તેમનું સ્વાગત ન કરતા."
ખાસ વાત એ છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના પણ અનેક મોટા નેતા પાર્ટી છોડી ચૂક્યા છે. જેમાં અશોક ચવ્હાણ, બાબા સિદ્દીકી, મિલિંદ દેવડાનું નામ પણ સામેલ છે. એક તરફ જ્યાં ચવ્હાણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. તો બીજી તરફ સિદ્દીકી રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારની આગેવાનીવાળી એનસીપીમાં ગયા. દેવડા શિવસેનામાં સામેલ થયા છે. (Lok Sabha Election 2024)
મારા કાકાને લઈ ગયા- તેજસ્વી યાદવ
બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ મંચ પરથી સીએમ નીતીશ કુમારને ઘેર્યા. તેમણે કહ્યું, "હું ઉદ્ધવજી અને શરદજીને જણાવવા માગું છું કે તે (ભાજપા) તમારા તો ફક્ત વિધેયકોને લઈને ગયા છે. મારા મામલે તો મારા કાકાને લઈને ગયા છે. હું ઉદ્ધવજી અને શરદજીને જણાવવા માગું છું કે મહારાષ્ટ્ર સરકારમાં બેઠેલા લીડર નહીં ડીલર છું..."
તેમણે આગળ કહ્યું, "મોદીજી ગેરેન્ટીની વાત કરે છે. હું તેમને બીજી ગેરેન્ટીઓ ભૂલવા માટે કહેવા માગું છું અને પહેલા મારા કાકાની ગેરેન્ટી આપે." તાજેતરમાં જ સીએમ કુમારે રાષ્ટ્રીય જનતા દળ, કૉંગ્રેસ સહિત કેટલાક દળોની સાથે તૈયાર મહાગઠબંધનની સરકારથી અલગ થઈને NDA સાથે જોડાઈ ગયા હતા.
લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાંની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. સત્તારૂઢ દળે કલ્યાણ ડોંબિવલી અને ભીવંડી લોકસભા ક્ષેત્રમાં વિભિન્ન વિકાસ કાર્યોની જાહેરાત કરવામાં આવી. વિકાસ કામ ટૂંક સમયમાં જ પૂરા થશે જેથી જનતાને લાભ થશે. લોકોને આશા હતી કે આચાર સંહિતા લાગુ થાય તે પહેલા વિકાસ કાર્ય પૂરા થશે પણ એવું થયું નહીં.
દેશમાં લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાંની સાથે આચાર સંહિતા લાગુ પાડી દેવામાં આવી છે. આચાર સંહિતા લાગુ પાડતાં પહેલા સત્તારૂઢ દળે કલ્યાણ ડોંબિવલી નગરપાલિકા ક્ષેત્ર અને ભીવંડી લોકસભા ક્ષેત્રોમાં વિભિન્ન વિકાસ કાર્યોના ભૂમિપૂજન સમારોહ સાથે અનેક વિકાસ કાર્યોના શરૂ કરવાની જાહેરાત કરી હતી. અનેક પ્રૉજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મતવિસ્તારમાં ધામધૂમથી પ્રચાર થયો હતો, પરંતુ ચાર વર્ષ પહેલા થયેલા અનેક મહત્વના કામોની એક ઈંટ પણ નંખાવી શકાઈ નથી. ઘણા પૂર્ણ થયેલા વિકાસ કામોનું ઉદ્ઘાટન થયું નથી અને ઘણા મહત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ થયું નથી. આજે પણ ઘણા પ્રોજેક્ટ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. હવે તે લોકસભાની ચૂંટણી પછી કે વિધાનસભાની ચૂંટણી પહેલા થાય તેવી ધારણા છે. તમને જણાવી દઈએ કે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં કલ્યાણ-તલોજા મેટ્રો લાઇનને પણ મંજૂરી આપવામાં આવી હતી. તેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.