Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dombivli

લેખ

હર્ષલ લેલે

પિતાના આત્માને હવે શાંતિ મળી હશે

પહલગામના હુમલામાં જીવ ગુમાવનારા ડોમ્બિવલીના સંજય લેલેના પુત્ર હર્ષલે કહ્યું...

09 May, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણે એવી માગણી કરી છે કે ભાગશાળા મેદાનમાં તેમની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવે

પહલગામ અટૅકમાં જીવ ગુમાવનારા ડોમ્બિવલીના ૩ મિત્રોની યાદમાં સ્મારક બનાવવાની માગણી

પહલગામમાં આતંકવાદીઓએ કરેલા હત્યાકાંડમાં ડોમ્બિવલીના ત્રણ ​મિત્રો અતુલ મોને, હેમંત જોશી અને સંજય લેલેએ જીવ ગુમાવ્યા હતા

02 May, 2025 09:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મામાના ઘરે રોકાવા આવેલી ૨૦ વર્ષની યુવતીએ અગિયારમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી

સતત ફોન પર વાત કરતી જોઈને મામાએ મોબાઇલ છીનવી લીધો અને ભણવા બેસવાનું કહ્યું એટલે ગુસ્સો આવ્યો

02 May, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રવિવારે ડોમ્બિવલીમાં પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોમાંના એકના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

ડોંબિવલીના પીડિત પરિવારને મળ્યા એકનાથ શિંદે- તમામ શક્ય મદદની ખાતરી આપી

Pahalgam Terror: એકનાથ શિંદેએ પીડિતોના પરિવારની મુલાકાત લઈ, તેમની દુઃખદ કથાઓ અને વિટંબણાઓ સાંભળી હતી

29 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દરજી, જિમ ટ્રેઇનર, હેરડ્રેસર પુરુષો હોય તો શું સ્ત્રીઓ અસુરક્ષિત છે?

ઉત્તર પ્રદેશ મહિલા આયોગના કહેવા મુજબ આવું છે અને એટલે જ તેમણે મહિલાઓની સુરક્ષાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે હવે દરેક જિમ, સૅલોંમાં સ્ત્રીઓ માટે ફીમેલ સ્ટાફ હોવો જોઈએ. એટલું જ નહીં પુરુષ ટેલર મહિલાનું માપ નહીં લઈ શકે અને બ્યુટી પાર્લર કે હેર કટિંગનું કામ પણ પુરુષો નહી કરી શકે જેવી ભલામણો કરવામાં આવી છે. જોકે મહિલા આયોગના આવા વિચાર સાથે શું આજનો સમાજ સહમત થાય છે ખરો? ચાલો જાણીએ મહિલાઓ પર વધતા જતા અત્યાચાર પર લગામ કસવા તેમ જ તેમની સુરક્ષા વધારવા માટે કેટલાંક પગલાંઓ લેવાની ભલામણ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે કરી છે. આયોગે વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓની સુરક્ષામાં સુધાર લાવવા માટે કેટલાક પ્રસ્તાવ રાખ્યા છે. આ પ્રસ્તાવમાં પુરુષ દરજીઓ દ્વારા મહિલાઓનું માપ લેવા પર તેમ જ પુરુષો દ્વારા મહિલાઓને જિમ અને યોગ સેન્ટરમાં ટ્રેઇનિંગ આપવા પર પ્રતિબંધ મૂકવાની વાત છે. મહિલા આયોગની ગાઇડલાઇન મુજબ ટેલરની દુકાનમાં મહિલાઓના કપડાંનું માપ પુરુષોને બદલે મહિલાઓ જ લેવી જોઈએ. એવી જ રીતે જિમ-યોગ સેન્ટરના સંચાલકોએ મહિલાઓ માટે મહિલા ટ્રેઇનર રાખવા જોઈએ એટલું જ નહીં, મહિલાઓની કપડાંની દુકાનોમાં મહિલા સ્ટાફને રાખવાની તેમ જ સ્કૂલ બસમાં મહિલા સિક્યૉરિટી ગાર્ડ અથવા મહિલા શિક્ષક રાખવાની ભલામણ પણ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. એ સિવાય સલૂનમાં પણ સ્ત્રીઓના વાળ કાપવા માટે ફીમેલ હેરડ્રેસર સ્ટાફ રાખવાનો આગ્રહ રખાયો છે. ૨૮ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશમાં મળેલી રાજ્ય મહિલા આયોગની બેઠકમાં દરેક જિલ્લા અધિકારીઓને મહિલા સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત થાય એ માટેની આવી ગાઇડલાઇન્સ આપવામાં આવી હતી. આ પ્રસ્તાવ અમલમાં આવે એ પહેલાં જ એને કારણે એક ડિબેટ છેડાઈ છે. એક તરફ સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈને દરેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને વિકાસની ખેવના કરે છે ત્યાં બીજી તરફ સુરક્ષા કે સન્માનના મામલે ફરીથી સંકુચિત માનસિકતા તરફ લઈ જતા નિર્દેશો નથી શું? શું આજની મૉડર્ન જમાનાની મહિલાઓને આ પ્રકારની ‘સુરક્ષા’ની જરૂર છે? આ મુદ્દે અમે વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ સાથે વાત કરી અને જે ક્ષેત્રમાં ‘બેડ ટચ’ની સંભાવનાઓ વધુ દેખાય છે એવા ક્ષેત્રના પુરુષ નિષ્ણાતોને પણ પૂછી જોયું. મુંબઈની ઓપન માઇન્ડેડ સોસાયટીમાં આ બાબતે કેવી ચર્ચાઓ થઈ એ વિશે જાણીએ.

11 November, 2024 04:32 IST | Mumbai | Heena Patel
દિવાળી સ્પેશ્યલ વાનગી

દિવાળી સ્પેશ્યલ વાનગી કઈ છે તમારા ઘરની

આજની પેઢીમાં ઘરે નાસ્તા બનાવવાનું ચલણ વીસરાતું જાય છે ત્યારે મુંબઈમાં કેટલાક એવા ગુજરાતી પરિવારો પણ છે જ્યાં ઘરના નાસ્તાને જ પ્રાધાન્ય અપાય છે. એમાંય તેમના પરિવારમાં પેઢીઓથી અમુક ખાસ વાનગી દિવાળી નિમિત્તે બને. આવતા અઠવાડિયે શરૂ થઈ રહેલી દિવાળી માટે એ સ્પેશ્યલ નાસ્તાની તૈયારીમાં લાગેલા આ પરિવારોની ખાસ પરંપરા વિશે જાણીએ આજે મઠિયા, ચોળાફળી અને ઘૂઘરા જેવા પરંપરાગત નાસ્તા હવેની યંગ જનરેશનને બનાવતાં ફાવતા જ નથી. છેલ્લાં થોડાંક વર્ષોમાં નાસ્તા કાં તો રેડીમેડ લેવાનું કાં તો ઑર્ડર આપીને બનાવી લેવાનું ચલણ વધી ગયું છે ત્યારે દિવાળીના આ દિવસોમાં દાદીઓ અને મમ્મીઓ પાસેથી જાણીએ મોહનથાળ  કે મઠિયા અને ચોળાફળી બેસ્ટ બનાવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ. તેમ જ દરેક પરિવારની કોઈ એક સ્પેશ્યલ આઇટમ હોય જ અને દર વર્ષે બને જ બને. એવું થાય કે એ જે-તે સગાંસંબંધીઓની પણ ફેવરિટ હોય અને એ લોકો ખાસ આ આઇટમ ખાવા જ આવે. એવા લોકો અને એવી હટકે આઇટમો વિશે પણ જાણીએ.

25 October, 2024 08:29 IST | Mumbai | Rajul Bhanushali
તસવીર/અતુલ કાંબલે

બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ પાંચની ધરપકડ, જુઓ તસવીર

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ બાબા સિદ્દીકી હત્યા કેસમાં શુક્રવાર, 18 ઓક્ટોબરે તેમણે પોતાનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રીની હત્યા સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી (તસવીરો: અતુલ કાંબલે)

18 October, 2024 10:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ડોમ્બિવલી બૉઈલર બ્લાસ્ટ: 7ના મોત, બૉઈલર બ્લાસ્ટમાં 40થી વધુ ઈજાગ્રસ્ત

ડોમ્બિવલી બૉઈલર બ્લાસ્ટ: 7ના મોત, બૉઈલર બ્લાસ્ટમાં 40થી વધુ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને ડોમ્બિવલી બોઇલર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 5 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. 23 મેના રોજ થાણેમાં એક મોટા બોઈલર વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

24 May, 2024 05:33 IST | Mumbai
ડોમ્બિવલી ફેક્ટરીના બોઈલર બ્લાસ્ટ કેસમાં કડક પગલાં લેવાશે: સીએમ શિંદે

ડોમ્બિવલી ફેક્ટરીના બોઈલર બ્લાસ્ટ કેસમાં કડક પગલાં લેવાશે: સીએમ શિંદે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 23 મેના રોજ ડોમ્બિવલીના એમઆઇડીસી કેમિકલ ફેક્ટરીમાં થયેલા ભીષણ બોઇલર બ્લાસ્ટની ઘટના બાદ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ મામલે તરત જ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. શિંદેએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આવી જોખમી ફેક્ટરીઓને રહેણાંક વિસ્તારોની બહાર ખસેડવાની યોજના જાહેર કરી હતી. તેમણે બ્લાસ્ટ અંગે તપાસનો અને જવાબદાર લોકો સામે કાર્યવાહીનો આદેશ પણ આપ્યો હતો. રાજ્ય સરકારે મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય, ઘાયલોની સારવાર પાછળનો ખર્ચ અને પ્રભાવિત કર્મચારીઓને વળતર આપવાની પણ ખાતરી જાહેર કરી છે. શિંદેએ આ વિસ્તારની બીજી ફેક્ટરીઓ અને રહેણાંક મિલ્કતો પર આ બ્લાસ્ટના પ્રભાવની નિંદા કરી અને જલદીથી કોઈ પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

24 May, 2024 12:51 IST | Thane

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK