Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુત્રી સુપ્રિયા સુળે માટે શરદ પવાર કટ્ટર વિરોધીના શરણે

પુત્રી સુપ્રિયા સુળે માટે શરદ પવાર કટ્ટર વિરોધીના શરણે

10 March, 2024 12:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનસીપીના સ્થાપક પીઢ કૉન્ગ્રેસી નેતા અનંતરાવ થોપટેને પચીસ વર્ષ બાદ મળ્યા

શરદ પવાર ગઈ કાલે કટ્ટર વિરોધી અને પીઢ કૉન્ગ્રેસી નેતા અનંતરાવ થોપટેના પુણેના નિવાસસ્થાને ગયા હતા

શરદ પવાર ગઈ કાલે કટ્ટર વિરોધી અને પીઢ કૉન્ગ્રેસી નેતા અનંતરાવ થોપટેના પુણેના નિવાસસ્થાને ગયા હતા


ભત્રીજા અજિત પવારે પાર્ટી હાઇજૅક કરી લીધા બાદ મુશ્કેલીમાં મુકાયેલા શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં પુત્રી સુપ્રિયા સુળેની બારામતી બેઠક બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. પોતાની સાથે પુત્રીની ઇજ્જત બચાવવા શરદ પવાર ગઈ કાલે કટ્ટર વિરોધી અને પીઢ કૉન્ગ્રેસી નેતા અનંતરાવ થોપટેના પુણેના નિવાસસ્થાને ગયા હતા. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની સાથે કૉન્ગ્રેસ પણ સામેલ છે એટલે બારામતીમાં સહયોગ મેળવવા માટે શરદ પવારે આ મુલાકાત કરી હોવાનું કહેવાય છે.

દાયકાઓથી કૉન્ગ્રેસ સાથે જોડાઈ રહેલા થોપટે પરિવારના અનંતરાવ મહારાષ્ટ્ર વિધાનસભામાં છ વખત ચૂંટાઈ આવ્યા હતા. આથી તેઓ એક સમયે મુખ્ય પ્રધાનપદના દાવેદાર હતા ત્યારે શરદ પવારે તેમની પાસેથી આ તક આંચકી લીધા બાદ બન્ને નેતાઓના સંબંધ ખરાબ થઈ ગયા હતા. ત્યાર બાદ શરદ પવાર અને અનંતરાવ થોપટે ક્યારેય નહોતા મળ્યા. ગઈ કાલે શરદ પવાર અનંતરાવને મળ્યા ત્યારે તેમણે તેમની તબિયતની પૃચ્છા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2024 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK