Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અજિત પવાર ઘડિયાળ અને શરદ પવાર તુતારી વાપરી શકશે

અજિત પવાર ઘડિયાળ અને શરદ પવાર તુતારી વાપરી શકશે

Published : 20 March, 2024 12:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સુધી બન્ને જૂથ આ ચૂંટણીચિહ્‍નો વાપરી શકશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર અને શરદ પવાર જૂથને કેન્દ્રીય ચૂંટણી પંચે ફાળવેલા પક્ષ અને ચૂંટણીચિહ્‍ન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સુધી કાયમ રાખવાનું ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. ચૂંટણી પંચે અગાઉ શરદ પવાર જૂથને તાજેતરમાં પાર પાડવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણી સુધી જ તેમને ફાળવવામાં આવેલું પક્ષનું નામ અને ચૂંટણીચિહ્‌ન વાપરવાનો નિર્દેશ કર્યો હતો. રાજ્યસભાની ચૂંટણી પૂરી થઈ છે અને લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે શરદ પવાર જૂથ મૂંઝવણમાં મુકાઈ જતાં એણે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે ગઈ કાલે શરદ પવાર જૂથને NCP - શરદચંદ્ર પવાર અને એના ચૂંટણીચિહ્‍ન તરીકે તુતારીને આગામી વિધાનસભાની ચૂંટણી સુધી કાયમ રાખવાની મંજૂરી આપી હતી. કોર્ટે મુખ્ય ચૂંટણી પંચને આ સમયગાળામાં બીજા કોઈ રાજકીય પક્ષને આવું નામ કે ચૂંટણીચિહ‍્ન ન ફાળવવાનો નિર્દેશ કર્યો હતો. આથી લોકસભા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવાર જૂથ સત્તાવાર રીતે NCP નામ અને ઘડિયાળના સિમ્બૉલ સાથે તો શરદ પવાર જૂથ તેમને ફાળવવામાં આવેલા નામ અને ચિહ્‍ન સાથે ચૂંટણી લડી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2024 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK