Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કબૂતરખાનાં બંધ થયાં તો શું થયું, સારા જહાં હમારા

કબૂતરખાનાં બંધ થયાં તો શું થયું, સારા જહાં હમારા

Published : 08 August, 2025 08:52 AM | Modified : 09 August, 2025 06:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગિરગામ ચોપાટી પર કબૂતરોને ચણ નાખતા જીવદયાપ્રેમીનો વિડિયો વાઇરલ

ગિરગામ ચોપાટી પર કબૂતરોને ચણ નાખતા જીવદયાપ્રેમીનો વિડિયો વાઇરલ

ગિરગામ ચોપાટી પર કબૂતરોને ચણ નાખતા જીવદયાપ્રેમીનો વિડિયો વાઇરલ


કબૂતરોને ચણ અને પાણી આપવા પર બૉમ્બે હાઈ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે એને ફૉલો કરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ દાદર અને અન્ય કબૂતરખાનાં પર તાડપત્રીથી કવર કરીને એને બંધ કરી દીધાં હતાં. એની સામે જૈનો અને જીવદયાપ્રેમીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે બુધવારે જોરદાર વિરોધ-પ્રદર્શન કરીને તાડપત્રી હટાવી દીધી હતી.  જોકે ગઈ કાલે કોર્ટે એ પ્રતિબંધ ચાલુ રાખતાં એક જૈન ભાઈએ અનોખો માર્ગ અપનાવ્યો હતો.



કોર્ટના કહેવાથી BMCએ કબૂતરખાનાં બંધ કર્યાં છે એથી એ જૈન ભાઈએ ગિરગાંવ ચોપાટી સામે રેતીમાં જ જુવારના દાણાની સંખ્યાબંધ ગૂણીઓ ખુલ્લી મૂકી દઈને કબૂતરો માટે ચણની વ્યવસ્થા કરી હતી એટલું જ નહીં, તેમણે શાંતિનાથ ભગવાનની જય, મહાવીરસ્વામી ભગવાનની જય અને જય જિનેન્દ્ર કહીને ગઈ કાલની તારીખ ૭ ઑગસ્ટ સાથેનો વિડિયો પોસ્ટ કર્યો હતો. એમાં તેઓ નવકારમંત્ર પણ બોલ્યા હતા અને આહ્‌વાન કરતાં કહ્યું હતું કે ‘અબોલ જીવ કરે પોકાર, અમને બચાવો નર ને નાર...’ એ વિડિયોમાં સેંકડોની સંખ્યામાં કબૂતરો ચણ ચણતાં હતાં. આ વિડિયો એ પછી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2025 06:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK