Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હો તો ચિંતાના સમાચાર છે

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હો તો ચિંતાના સમાચાર છે

Published : 26 August, 2025 07:23 AM | Modified : 27 August, 2025 06:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬ કલાક ઉપવાસ કરીને માત્ર ૮ કલાક દરમ્યાન ખાવાથી હૃદયરોગ અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ બમણું થઈ જતું હોવાનું લેટેસ્ટ રિસર્ચ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રોજ ૮ કલાકના સમયગાળામાં ભોજન કરવાનું અને પછી ૧૬ કલાક ઉપવાસ કરવાનું એ સિસ્ટમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય છે. ડાયાબિટીઝ ઍન્ડ મેટાબૉલિક સિન્ડ્રૉમ નામની જર્નલમાં છપાયેલા લેટેસ્ટ અભ્યાસ મુજબ આવું કરવાથી હૃદયરોગને કારણે મૃત્યુ થવાનું જોખમ બમણું થઈ જાય છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વજન ઘટાડવા માટે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સુધારવા માટે, બ્લડપ્રેશર અને સોજો ઘટાડવા માટે તેમ જ શરીરમાં ચરબીનું પ્રમાણ સુધારવા માટે મદદ કરે છે એવું મનાય છે. જોકે તાજેતરમાં થયેલા અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો દિવસમાં ૮ કલાકથી ઓછા સમયમાં ખાવાનું ખાય છે તેમને ૧૨થી ૧૪ કલાકના સમયગાળામાં ભોજન કરતા હોય એવા લોકો કરતાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોકને કારણે મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. અમેરિકન નૅશનલ હેલ્થ ઍન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે દ્વારા ૧૯,૦૦૦ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં આ નિષ્કર્ષ નીકળ્યો હતો. અભ્યાસમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની કૅન્સર અને અન્ય કારણસર થતા મૃત્યુદરના સંદર્ભે પણ તપાસ કરવામાં આવી હતી. જોકે સંશોધકોએ નોંધ્યું હતું કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને કૅન્સર કે અન્ય કારણસર થતાં મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ હૃદયરોગને કારણે થતાં મૃત્યુનું જોખમ દરેક પ્રકારના લોકોમાં વધે છે. અભ્યાસના મુખ્ય સંશોધક વિક્ટર ઝોન્ગનું કહેવું છે કે ‘જે લોકો લાંબા સમય સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અપનાવીને દિવસમાં માત્ર ૮ કલાકમાં જ ખાય છે તેમણે લાંબા ગાળે હૃદય અને હૃદયની રક્તવાહિનીઓના સ્વાસ્થ્ય માટે સાવધાન રહેવું જરૂરી છે.’ 



ફૉર્ટિસ હૉસ્પિટલના અંતઃસ્રાવી ગ્રંથિઓના નિષ્ણાત ડૉ. અનુપ મિશ્રાએ કહ્યું હતું કે ‘ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ આપણી આહારશૈલીનું સિમ્પલ અને સસ્તું સાધન છે, પરંતુ આ બાબતે વધુપડતો ઉત્સાહ દાખવનારાઓએ એનું જોખમ પણ ધ્યાનમાં લેવું જોઈએ. જ્યાં સુધી લાંબા ગાળાની અસરો વિશેનો ડેટા મળતો નથી ત્યાં સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતી વખતે વ્યક્તિગત ધોરણે નિષ્ણાતનું સુપરવિઝન જરૂરી છે. જે લોકોને પહેલેથી કોઈ સ્વાસ્થ્યની સમસ્યા છે અને ટૂંકા ગાળા માટે આ ફાસ્ટિંગ સિસ્ટમ અપનાવતા હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2025 06:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK