Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દુ મહાસંઘની માગણી : ખાલિદ કા શિવાજી ફિલ્મ પર બૅન લગાવી દો

હિન્દુ મહાસંઘની માગણી : ખાલિદ કા શિવાજી ફિલ્મ પર બૅન લગાવી દો

Published : 06 August, 2025 11:53 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિર્માતાએ તેમને સેક્યુલર દેખાડ્યા છે જે અમને મંજૂર નથી. જો ફિલ્મ પર બંધી નહીં મૂકવામાં આવે તો અમે એ જ્યાં પ્રદર્શિત થશે ત્યાં થિયેટર પર જઈને વિરોધ-પ્રદર્શન કરીશું.

;ખાલિદ કા શિવાજી` ફિલ્મનું પોસ્ટર

;ખાલિદ કા શિવાજી` ફિલ્મનું પોસ્ટર


પુણેના હિન્દુ મહાસંઘે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને ફિલ્મના પ્રોડ્યુસરને રજૂઆત કરીને ૮ ઑગસ્ટે રિલીઝ થનારી ‘ખાલિદ કા શિવાજી’ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગણી કરી છે.

હિન્દુ મહાસંઘના ચૅરમૅન આનંદ દવેએ કહ્યું હતું કે ‘આ ​ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસને વિકૃત કરીને દેખાડવામાં આવ્યો છે. નિર્માતાએ તેમને સેક્યુલર દેખાડ્યા છે જે અમને મંજૂર નથી. જો ફિલ્મ પર બંધી નહીં મૂકવામાં આવે તો અમે એ જ્યાં પ્રદર્શિત થશે ત્યાં થિયેટર પર જઈને વિરોધ-પ્રદર્શન કરીશું. અમે પુણેના દરેક થિયેટરને વિનંતી કરીએ છીએ કે આ ફિલ્મ પ્રદર્શિત ન કરે. જો રૂરલ એરિયામાં એ પ્રદર્શિત થશે તો અમે ત્યાં થિયેટર પર જઈને લેક્ચરનું આયોજન કરીશું અને લોકોને સાચા ઇતિહાસથી અવગત કરાવીશું. શિવાજી મહારાજ અમારા છે, હિન્દુઓના છે અને મરાઠા છે. અમારો વિરોધ જ ‘ખાલિદ કા શિવાજી’ આઇડિયાને લઈને છે.’



ડિરેક્ટર રાજ મોરેએ બનાવેલી ‘ખાલિદ કા શિવાજી’ ફિલ્મમાં એક મુસ્લિમ છોકરાની વાત છે જે શિવાજીને પોતાના અનુભવથી સમજે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2025 11:53 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK